કોઈ લગ્નપ્રસંગે કે પછી કોઈ ધાર્મિક પ્રસંગે કોઈ હોટેલ કે પાર્ટી પ્લૉટ કે વાડીમાં તમે જાવ અને ભોજન કરતી વેળા વધુ વાનગી લઈ લો અને પછી એ પ્લેટમાં છોડી દો ત્યારે તમને એ હોટેલ કે પાર્ટી પ્લૉટ કે વાડી બહાર કોઈ ભૂખ્યો બેઠો છે એની ભૂખનો ખયાલ આવે છે? આવતો હોય તો તમે અન્નનો બગાડ ન જ કરો. જો કે એવું થતું નથી અને આવા સમારંભો કે બીજી પાર્ટીમાં જ નહીં, પણ ઘરમાંય અન્નનો બગાડ થાય છે. બીજી બાજુ, અને દુનિયામાં કરોડો લોકો ભૂખ્યા સૂવે છે કે પછી ભૂખમરાથી મરે છે. આવું રોજ બને છે.
ખેતરમાં અન્ન પાકે, એનું વિતરણ થાય ત્યાંથી ભોજન બને અને લોકો એ ખાય ત્યાં સુધીમાં કે એ પછી એટલો બધો બગાડ થાય છે કે એના આંકડા પર નજર કરીએ તો આપણી ભૂખ મરી જાય! હમણાં જ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)નો એક રિપોર્ટ આવ્યો છે, એમાં કહેવાયું છે કે રોજ ૧૦૦ કરોડ લોકોને મળે એટલું ભોજન બગડે છે અને બીજી બાજુ, દુનિયામાં રોજ સરેરાશ ૭૮.૩ કરોડ લોકો ભૂખ્યા સૂવે છે. યુનોના ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટ-૨૦૨૪માં એવાં તારણો આપવામાં આવ્યાં છે કે વર્ષે ૧૦૫.૨ કરોડ ટન અનાજ બરબાદ થાય છે. અને એને વ્યક્તિદીઠ ગણીએ તો ૧૩૨ કિલો થવા જાય છે. ખાવા યોગ્ય ૨૦ ટકા ભોજન કચરામાં જાય છે. અને સૌથી શરમજનક વાત તો એ છે કે આપણાં ઘરોમાં પણ ૬૦ ટકા ભોજન બરબાદ થાય છે. એનો કુલ આંકડો ૬૩.૧ કરોડ ટન થવા જાય છે. અને બીજી બાજુ, ૧૫ કરોડ બાળકો કુપોષણથી પીડાય છે. વ્યક્તિદીઠ વર્ષે સરેરાશ ૭૯ કિલો ભોજન બરબાદ થાય છે. અન્નની ઊપજ, વિતરણ અને વેચાણ સુધીની પ્રક્રિયામાં ૧૩ ટકા અનાજ બરબાદ થાય છે.
અને આ અન્નના બગાડની કુટેવ અમીરોમાં છે એવી જ ગરીબોમાં પણ છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં અન્નના બગાડનું પ્રમાણ વધતું જાય છે. આફ્રિકામાં ભૂખમરો છે એ આપણે જાણીએ છીએ, પણ આફ્રિકાના દેશોમાં પણ ભયંકર બગાડ થાય છે. નાઈજીરિયામાં વ્યક્તિદીઠ ૧૮૯ કિલો, ઈથિયોપિયામાં ૯૨ કિલો, કોન્ગોમાં ૧૦૩ કિલો, રવાન્ડામાં ૧૬૪ કિલો અનાજ વ્યક્તિદીઠ બરબાદ થઈ જાય છે. આ તો થઈ ઘણુંખરું આફ્રિકાના ગરીબ દેશોની વાત. અનેક સમૃદ્ધ દેશોમાં પણ આ જ સ્થિતિ છે.
Denne historien er fra September 09, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 09, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.