ત્રણેક વર્ષ પહેલાંની વાત. બનાસકાંઠાના નેસડા ગામમાં યુવા જૈન મુનિ કલ્પરક્ષિતવિજય અને જ્ઞાનરક્ષિતવિજય ચાતુર્માસ ગાળતા હતા. એક દિવસ ત્રણ જૈનેતર મહિલા દર્શને આવી. એકે વ્યથા ઠાલવીઃ મહારાજ સાહેબ, મારી સોનાની બુટ્ટી વેચીને મારા ઘરવાળાએ દારૂ લાવીને પીધો...
બીજી બે ગૃહિણીની પણ એ જ ફરિયાદઃ પતિ ઘરની વસ્તુ વેચી દે છે... પછી દારૂ પીને મારઝૂડ કરે છે.
બન્ને મુનિએ બાદમાં જાણ્યું કે બનાસકાંઠામાં વર્ષોથી દારૂ અને અફીણના સેવનની બદી વ્યાપેલી છે. દેશી દારૂ ગળાય છે, વેચાય છે અને પીવાય છે. અમુક ગામોમાં જન્મ-મરણના સારા-નરસા પ્રસંગ તથા અમુક તહેવારમાં અફીણ પીવા–પિવડાવવાની પરંપરા પણ છે. આ વ્યસનથી ઘણાએ જાન ગુમાવ્યા છે અને અનેક પરિવાર બેહાલ થયા છે. સાથે સમાજમાં કુરિવાજ પ્રવર્તે છે. કદાચ એટલે જ અમુક લોકો ક્યારેક કટાક્ષમાં બનાસકાંઠાને બદમાશકાંઠા કહે છે.
બન્ને દૂષણને તિલાંજલિ અપાવવાની જવાબદારી આમ તો સરકાર અને સમાજની. એમાં અમુક અગ્રણીઓએ લોકોને સુધારવા સામાજિક બહિષ્કાર સુધીના નિયમો બનાવ્યા, પણ પરિણામ ન મળ્યું.
જૈન સંતો ધર્મરક્ષા, ધર્મપ્રચાર અને આત્મકલ્યાણ, જીવદયા, શિક્ષણ, સેવાની પ્રવૃત્તિ કરે. અહીં બન્ને મુનિએ ગૃહિણીઓની પીડા સાંભળીને વ્યસનમુક્તિ કાજે સમાજ સુધારણાનું ક્ષેત્ર પસંદ કર્યું. કામ લાંબા ગાળાનું અને થોડું જોખમી પણ ખરું, છતાંય વતન બનાસકાંઠાને વ્યસનમુક્ત કરવાના સદ્ભાવથી સ્વેચ્છાએ ઝુંબેશ આદરી. સૂત્ર રાખ્યું: ચાલો, બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ.
મુનિ કલ્પરક્ષિતવિજય
બન્ને મુનિ મૂળ બનાસકાંઠાના ઉંબરી ગામના. જન્મ મુંબઈવાસી હીરાના વ્યવસાયી કરોડપતિ જૈનદંપતી પ્રજ્ઞા શૈલેશ શાહને ત્યાં. એમના પુત્ર હેરીન અને જિમીએ અનુક્રમે છ અને ચાર ધોરણ ભણીને કિશોરવયે આચાર્ય રામચંદ્રસૂરીજી સમુદાયના આચાર્ય આગમવિશારદ તપોરત્નસૂરીશ્વરજી પાસે ૧૯૯૮માં દીક્ષા લીધી. એ બન્યા મુનિ કલ્પરક્ષિતવિજય અને ગણિવર્ય જ્ઞાનરક્ષિતવિજય. પછી એમનાં માતા-પિતાએ પણ સંસારત્યાગ કર્યો.
गणिवर्य ज्ञानरक्षितवि४य
Denne historien er fra October 21, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 21, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જલસાઘર
બચ્ચન@૮૨
છોડા-છોડી પૈણું પૈણું કેમ કરતાં નથી?
આજના યુવાવર્ગનો લગ્નસંસ્થામાં રસ ઘટી રહ્યો છે એટલે જતેદહાડે આ વ્યવસ્થા જ નીકળી જશે.
તન કી શક્તિ... મન કી શક્તિ
કસરત એ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે.
આ ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા જાણો છો?
ઘડિયાળના કાંટે જ ખાવાનું અને બાકીનો સમય પેટમાં કશું નહીં પધરાવવાનું... આ પ્રયોગ કરવા જેવો છે.
ઘડપણનું ઘર આવે તો જુવાનીએ શીદ પાછા વળવું?
ઉંમર સૌની વધવાની છે, વૃદ્ધાવસ્થા સૌની આવવાની છે, પણ એ આવશે અથવા આવી ગઈ એવા ભયના ઓથાર હેઠળ શું કામ જીવવું, ભલા?
બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ...
ઉત્તર ગુજરાતના આ જિલ્લાને વ્યસનમુક્ત અને બાળકોને સંસ્કારયુક્ત બનાવવાની અનેરી ઝુંબેશ બે જૈન મુનિએ અઢી વર્ષથી આદરી છે. સ્થળનાં નામ બદલવાના શોખ સામે જિલ્લાની ઓળખ બદલવાનો કેવો છે આ પરમાર્થભર્યો પરિશ્રમ?
શતાયુ ‘કુમાર’ને અનોખી-ચિરંજીવ ખેત
એક સામયિક એકસો વર્ષ પૂરાં કરે અને એ સામયિકની શતાબ્દી-સફર દરમિયાનના વિશેષ લેખો અલગ રીતે ગ્રંથસ્થ થાય એ તો ‘સોને પે સુહાગા’ જેવું થયું કહેવાય. સુરતના ‘લાતીર્થ’ ટ્રસ્ટે ‘કુમાર’ સામયિકના શિલ્પ-સ્થાપત્ય-કળા-કસબ વિષયક અંકોનાં પાંચ પુસ્તક તૈયાર કર્યાં છે. કોઈ સામયિક પર આવા દળદાર ગ્રંથ પ્રકાશિત થાય એ ગુજરાતી પ્રજા ગર્વ લઈ શકે એવી વિરલ સાંસ્કૃતિક ઘટના છે.
કુમારઃ સદીને આંબતું સામયિક
એકસો વર્ષ પહેલાં ‘ઊગતી પ્રજાનું માસિક’ મુદ્રાવાક્ય સાથે શરૂ થયેલા ‘કુમાર’નું મુદ્રાચિત્ર હતું (અને છે)-એક હાથમાં લગામ, બીજા હાથમાં ભાલો ધારીને યુવાઊર્જાના પ્રતીક સમો થનગનતો ઘોડેસવાર. પ્રવેશાંકમાં આહવાન હતું કે ‘કુમાર-કુમારીમાંથી, જેઓ ઊછરતા લેખકો હશે એમને અમે યોગ્યતા પ્રમાણે સ્થાન આપીશું, કારણ કે અમારી ઈચ્છા છે કે આ માસિક વાંચનારાનાં હૃદયનું પ્રતિબિંબ બની રહે.’ યુવાવર્ગમાં સંસ્કારસિંચનના ઉદ્દેશથી શરૂ થયેલું આ માસિક કાળની થપાટ ખમતું, ત્રણેક વરસના અંતરાલને બાદ કરતાં અવિરત પ્રકાશિત થતું રહ્યું. રવિશંકર રાવળથી પ્રફુલ્લ રાવલના તંત્રીપદ હેઠળ ગુણવત્તાયુક્ત, વૈવિધ્યસભર વાંચનસામગ્રીથી ત્રણ-ચાર પેઢીને વિચારસમૃદ્ધ કરતું રહ્યું. કિશોર-કિશોરીનાં સંસ્કારસંવર્ધન અને ઘડતરમાં અનન્ય પ્રદાન ધરાવતા ‘કુમાર’ના જન્મની, ક્રમબદ્ધ વિકાસની તથા અનેક વિપરીતતા વચ્ચે લક્ષ્ય ટકાવી રાખવાના સંઘર્ષની કથા બડી રસપ્રદ છે.
ગૌપ્રવાસન વિકસે તો ગાય રસ્તે રઝળતી બંધ થશે...
આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે ગાયની પૂજા કરીએ છીએ અને ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાનું માનીએ છીએ, પણ તો પછી સેંકડો-હજારો ગૌમાતા સડક પર રઝળે કેમ છે? આ મૂકજીવની અવદશા બદલવાનો શું છે રસ્તો?
જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...
લુડો ગેમ જીવનના પાસા ભલે આપણા હાથમાં હોય, પણ એ આપણને શું બતાવશે એ આપણા હાથમાં નથી. નસીબનું બીજું કોઈ નામ આપવું હોય તો પાસા આપી શકાય. ગમે ત્યારે ગમે તે પાસા પડે અને આપણે એ પ્રમાણે રમવું પડે છે.