ક્યારેક આપણા ખુદના શહેરની અને અનેક પ્રવાસન સ્થળોની પણ ભીડમાંથી ભાગીને કોઈ અંતરિયાળ હિમાલયન ગામના નદી કિનારે રહેવાનું મન થાય છે. આવા વિચાર સાથે એવો પણ વિચાર આવે છે કે કોઈ એવા સ્વર્ગીય ગામમાં રહેવું છે, જ્યાં સમય થંભી ગયો છે અને ચોવીસ કલાકમાં જાણે કોઈ ઘટના જ બનતી નથી. જ્યાં મૉલ રોડનો મનાલિયન શોરબકોર નથી અને જ્યાં શોપિંગ અને સ્વાદના બહુ આઉટલેટ્સ પણ નથી, પરંતુ જીન્સના ખીસ્સામાં હાથ હૂંફાવતાં ચાલવાનો અવકાશ છે અને ધીમા સંગીત સાથે એસ્પ્રેસો કે હોટ ચોકલેટ સર્વ કરતું કાફેટેરિયા છે.
આપણા આવા પ્રવાસન સ્વપ્નને પોષતા અનેક હિમાલયન ડેસ્ટિનેશનમાંનું એક અને ઓફબીટ ડેસ્ટિનેશન છે, અલચી.લદ્દાખના લેહ જિલ્લામાં આવેલું અલચી ગામ લિકિર તાલુકામાં આવેલું લશગ્રીન ગામડું છે. લેહની પશ્ચિમે ૭૦ કિલોમીટર દૂર આવેલું આ રમણીય ગામ કોઈ હિલટોપ પર હોવાની બદલે લોલૅન્ડ પર આવેલું છે.
૧૦,૨૦૦ ફૂટની ઊંચાઈ પર એક્ટિવ સાઇઝમિક રિજિયનમાં સ્થિત આ અલચી સિંધુ નદીના દક્ષિણ કિનારે લદ્દાખની અતિ પ્રાચીન બૌદ્ધ મોનેસ્ટરીની હૂંફમાં વિશ્વ પ્રવાસીઓને વર્ષોથી આવકારે છે. જમ્મુ-કાશ્મીરનો નકશો લઈને બેસીએ તો અલચીની ઉત્તરે લદ્દાખ અને દક્ષિણે ઝંસ્કર રેન્જ છે. પૂર્વે નીમ નામનું લેહથી ૪૫ કિલોમીટર દૂરનું નાનકડું ગામ છે અને પશ્ચિમે લામાપુરુ નામની પ્રસિદ્ધ બૌદ્ધ મોનેસ્ટરી છે.
લીલાંછમ ખેતરો ધરાવતાં આ બૃહદ હિમાલયન ગામમાં તિબેટન બુદ્ધિઝમ સાથે જોડાયેલી અલચી મોનેસ્ટરી છે, જે ‘ચોસખોર’ એટલે કે મોનેસ્ટિક કોમ્પ્લેક્ષ તરીકે જાણીતી છે. લિકિર મોનેસ્ટરી દ્વારા સંચાલિત આ મોનેસ્ટરી લેહ-કારગિલ હાઈવે પર આવેલી છે. આ મોનેસ્ટરીને દૂરથી નિહાળતાં તેનું બે માળવાળું લીંપણ કરેલું સફેદ મકાન અને ગુંબજવાળા સ્તૂપો જાણે લીલાછમ પેચ પર સફેદ મશરૂમ હોય તેવું લાગે છે.
અલચી ગામમાં રહેલી ચાર અલગ-અલગ વસ્તીમાં અલગ-અલગ સમયનાં સ્મારકો છે, જેમાં અલચી મોનેસ્ટરી સૌથી પ્રાચીન છે. લદ્દાખના નીચલાં ક્ષેત્રોમાં સ્થિત અલચી સાથે મંગ્યુ અને સુમદા ચુન એવાં બે ગામો પણ છે, જે અલચી ગ્રૂપ ઑફ મોન્યુમેન્ટ્સમાં સમાવિષ્ટ છે. અનોખી શૈલી અને કલા-કારીગરી ધરાવતાં આ ત્રણેય ગામોનાં બૌદ્ધ સ્મારકોમાં અલચી બૌદ્ધ મઠતેના મ્યુરલ્સ, તાંત્રિક મંડલો અને પ્રાચીન પ્રતિમાઓ માટે પ્રખ્યાત છે.
This story is from the Abhiyaan Magazine 29/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 29/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.