આજે મોબાઇલ, ઇન્ટરનેટના જમાનામાં લોકોની વાંચનભૂખ ઘટી ગઈ હોવાની વારંવાર ફરિયાદો થાય છે. તેવા સમયમાં લોકોને વાંચતા કરવાની વાત ખરેખર એક પડકાર સમી છે. નાનાં-મોટાં શહેરો ગામો જ્યાં ખાનગી, સરકારી કે ટ્રસ્ટનાં પુસ્તકાલયો છે, ત્યાં પણ આજે સાહિત્યનો આસ્વાદ માણવા આવનારા વાચકોની સંખ્યા કરતાં વધુ સંખ્યા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવનારા વિદ્યાર્થીઓની હોય છે. તેના કારણે પુસ્તકાલયો આજે શૈક્ષણિક વાંચનાલયમાં ફેરવાતાં જાય છે. તેવા સમયે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ગામના વયસ્કોને પણ વાંચતા કરવાનું જાણે પ્રણ લીધું હોય તેમ કચ્છના અમુક શિક્ષકો પુસ્તકાલયની પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગયા છે. રાપર તાલુકાના બાલાસરમાં જે કુટુંબની ત્રણ પેઢીઓ શિક્ષક તરીકે બાળકોને ભણતર સાથે ગણતર પણ શીખવે છે, તે કુટુંબના એક શિક્ષક પોતાના વતનમાં દાતાઓની મદદથી સુંદર ગ્રંથમંદિર ચલાવે છે. તો મુન્દ્રા તાલુકાના દેશલપર ગામના હેડટીચર અને મોટી ખાખર ગામે રહેતા એક જ્ઞાનગુરુ પણ પોતાના ગામમાં પુસ્તકાલયની પ્રવૃત્તિમાં મશગૂલ છે. ભુજ રહેતાં અને નારાણપર ગામની માધ્યમિક શાળાનાં વિજ્ઞાન શિક્ષિકા નારાણપર ઉપરાંત આસપાસનાં ૬ ગામોમાં લોકોમાં વાંચનવૃત્તિ વધે તે માટે વિદ્યાર્થિનીઓની મદદથી ઝોલા લાઇબ્રેરી ચલાવે છે. કદાચ આવી લાઇબ્રેરીઓનો ફાયદો ઓછા લોકો ઉઠાવતા હશે, પરંતુ ગામના લોકો આવી પ્રવૃત્તિના કારણે પુસ્તકોથી વાકેફ થઈ રહ્યા છે, નવી પેઢી પુસ્તકો તરફ વળી રહી છે, તે જ મોટો ફાયદો છે.
This story is from the Abhiyaan Magazine 29/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 29/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.