દુનિયાની શ્રેષ્ઠ એકસો યુનિવર્સિટીઓમાં ભારતની એક પણનો સમાવેશ થતો નથી. આઇઆઇટી અને આઇઆઇએમને બાદ કરતાં આંતરરાષ્ટ્રીય કક્ષાની અન્ય કોઈ શિક્ષણ સંસ્થાઓ ભારતમાં નથી. આઇઆઇટી અને આઇઆઇએમમાં પ્રવેશ મેળવવાનું ખૂબ મુશ્કેલ છે. ભારતના મોટા ભાગના વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરી કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ વિદેશોની યુનિવર્સિટીઓની રાહ પકડે છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ૨૦૨૪માં જાહેર કરાયેલા આંકડાઓ મુજબ વિદેશોની યુનિવર્સિટીઓમાં ભારતના પંદર લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ૨૦૨૩માં જે પ્રમાણ હતું તેમાં વીસ ટકાનો વધારો થયો છે. તે બતાવે છે કે વિદેશોમાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વરસે ઝડપભેર વધારો થઈ રહ્યો છે. આ બાબતમાં હમણાં સુધી ભારત કરતાં ચીન આગળ હતું, પરંતુ હવે આપણે ચીનને પાછળ રાખી દીધું છે અને જો કોઈ દેશમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ વિદેશોમાં ભણવા જતા હોય તો તે ભારત છે. તેની સામે વિદેશોમાંથી ભારત ભણવા આવતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે. બ્યુરો ઓફ ઇમિગ્રેશનના આંકડાઓ મુજબ ૨૦૨૩માં ભારતમાં ચાલીસ હજાર ચારસો એકત્રીસ (૪૦,૪૩૧) વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા અને તેની સામે ઑક્ટોબર, ૨૦૨૩ સુધીમાં સાત લાખ પાંસઠ હજાર (૭,૬૫,૦૦૦)ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા.
વિદેશોમાં ભણવા જવાના ઘણા ફાયદાઓ છે. ત્યાં ભણતાં ભણતાં પાર્ટટાઇમ કામ કે નોકરી કરી શકાય છે, જેથી અભ્યાસનો ખર્ચ નીકળે છે. ત્યાંની શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં શિક્ષણનું સ્તર ઘણું ઊંચું હોય છે. કેટલીક તો વર્લ્ડ કલાસ હોય છે. પશ્ચિમના દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલૅન્ડ વગેરેમાં સ્થાયી થવાની તક મળે છે. અમેરિકામાં પ્રમુખપદના રિપબ્લિકન પક્ષના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જાહેરમાં ફરિયાદ કરી હતી કે, અમેરિકામાં ભણવા આવતાં વિદેશી વિદ્યાર્થીઓ ભણીગણીને પોતાના દેશમાં જતાં રહે છે અને સ્વદેશ જઈને ધંધા-રોજગાર સ્થાપી ખૂબ સુખી બને છે. એમને લાગે છે કે આ રીતે એ વિદ્યાર્થીઓ અમેરિકાની વ્યવસ્થાનો ફાયદો ઉઠાવે છે. ટ્રમ્પની ઇચ્છા છે કે અમેરિકામાં ભણવા આવતાં વિદ્યાર્થીઓ અમેરિકામાં જ સ્થાયી થાય. ચૂંટણી પ્રવચનોમાં ટ્રમ્પ કહી રહ્યા છે કે, પોતે હવે પછી પ્રમુખ બનશે તો અમેરિકામાં ભણવા આવતાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીકાળ દરમિયાન જ ગ્રીન કાર્ડ મળી જાય એવી જોગવાઈ એ કરશે.
This story is from the Abhiyaan Magazine 06/07/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 06/07/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.