કચ્છના અગ્રણી, તેજતર્રાર પત્રકાર, લેખક તરીકે સ્વ. પ્રવીણચંદ્ર શાહનું નામ સુખ્યાત છે, તેમણે ૧૮૬૫થી ૧૯૯૭ સુધી કચ્છના પત્રકારત્વની તવારીખ સાચવી રાખી છે. તેમણે લખેલા, સંગ્રહેલા લેખોની મદદથી ‘કચ્છના પત્રકારત્વની તવારીખ' નામની તાજેતરમાં બહાર પડાયેલી પુસ્તિકા કચ્છના પત્રકારત્વના ઇતિહાસ વિશે પ્રકાશ પાડે છે.
આઝાદીના સમય સુધી કચ્છ અલગ રાજ હતું. તે ગુજરાત સાથે સાંસ્કૃતિક રીતે કે બીજી રીતે સઘન રીતે જોડાયેલું ન હતું. સૂરજબારીનો પુલ બન્યો ન હતો, ત્યાં સુધી તે ગુજરાતની મુખ્ય ભૂમિથી વિખૂટું પડેલું હતું. આના પરિણામે જ કચ્છના ઇતિહાસની નોંધ, તેના આગવા પ્રદાનની નોંધ ક્યારેય ગુજરાત સમકક્ષ રીતે લેવાઈ નથી. કચ્છના મોટા ભાગના લોકો અભણ કે ઓછા ભણેલા, પછાત, ખેતી આધારિત જીવન જીવનારા અને વારંવાર પડતા દુષ્કાળના પરિણામે સહાય માગનારા એવી એક સર્વસામાન્ય છાપ ગુજરાતના અન્ય વિસ્તારોમાં હતી અને ઓછા વત્તા પ્રમાણમાં આજે પણ છે. આ જ વાત કચ્છના પત્રકારત્વ વિશે પણ લાગુ પડતી હોય તેવું લાગે છે. ગુજરાતના, સૌરાષ્ટ્રના પત્રકારત્વના ઇતિહાસની નોંધ લેતી વખતે કચ્છના પત્રકારત્વને નજરઅંદાજ કરાયાનું એક ચિત્ર જાણકારોને જોવા મળે છે, પરંતુ કચ્છનું પત્રકારત્વ આજે દોઢ સદી પુરાણું થઈ ચૂક્યું છે. કચ્છમાં રાજાશાહી હતી. અહીં સામાન્ય લોકોને કંઈ પણ છાપવાની કે પ્રેસ શરૂ કરવાની રાજની કડક પાબંધી હતી. અમુક સમયે કચ્છ બહારથી મંગાવેલું કોઈ પણ વર્તમાનપત્ર વાંચવા ઉપર પણ પ્રતિબંધ હતો. તેથી જ રાજાશાહી જમાનામાં કચ્છના જે પત્રકારોએ અખબારો કે સામયિકો કાઢ્યા તે બધા કચ્છ બહારથી,મહદ્અંશે મુંબઈથી બહાર પડતા હતા. આ બાબતના કારણે પણ ક્યારેય કચ્છના પત્રકારત્વ વિશે અલગથી વિશેષ નોંધ લેવાઈ ન હોય તેવું બની શકે. વર્તમાનમાં એક સુંદર પહેલ થઈ છે, સ્વ. પ્રવીણચંદ્ર શાહ લિખિત, સંપાદિત અને દલપત દાણીધારિયા પ્રકાશિત ‘કચ્છના પત્રકારત્વની તવારીખ (૧૮૬૫- ૧૯૯૭) પહેલી સદીના સંઘર્ષનું વિહંગાવલોકન' નામની માહિતીસભર પુસ્તિકાથી.
This story is from the Abhiyaan Magazine 10/08/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 10/08/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?