આપણા ભારતીય ઉત્સવોના પ્રવેશદ્વાર જેવો શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. એક પછી એક તહેવારો અને ઉત્સવો હવે છેક દેવ દિવાળી સુધી આવતા જ રહેશે, પણ આ ઉત્સવોનો આરંભ શ્રાવણ માસમાં થતી શિવ ઉપાસનાથી થાય છે. બાળપણમાં નારાયણ સ્વામીએ ગાયેલું એક શિવ ભજન સાંભળવામાં આવતું ત્યારે એ ભજન પહેલાં દોહરો ગાવામાં આવતો કે,
એક બીલીપત્રમ્, એક પુષ્પમ્,
એક લોટા જલ કી ધાર,
દયાલુ રીઝ કે દેતે હૈ ચંદ્રમૌલી ફલ ચાર...
ભોળા શંભુ આમ ઓછામાં ઘણું રીઝીની ભક્તોને રાજી કરી દેનારા મહાદેવ છે. આપણે સર્વસામાન્ય રીતે શિવને સંહારના અધિષ્ઠાતા તરીકે જોઈએ છીએ, પણ શિવના સંહારમાં પણ સંસારનું કલ્યાણ છે. શિવ તો કલ્યાણ સ્વરૂપ છે. એટલે જ તો જ્યારે સમૃદ્રમંથનમાંથી નીકળેલા કાલકૂટ ઝેરનું કોઈ ધણી નથી થતું ત્યારે શિવ એને પોતાના કંઠમાં ધારણ કરે છે. આવા કાલકૂટનો તાપ ઝીરવી જનાર શિવને શીતળતા રહે એટલા માટે એમના મસ્તક પર ચંદ્ર આવીને કાયમી વાસ કરે છે. એ ચંદ્ર પૂનમનો નથી, પણ પંચમીનો ચંદ્ર છે. એ પંચમી પંચમહાભૂતનું પ્રતીક ન કહી શકાય? સૌ સંસાર જે પંચમહાભૂત નિર્માણ પામીને એ જ પંચમહાભૂતમાં ભળી જવાનો હોય, એ પંચતત્ત્વોને તો શિવ માથે બાંધીને ફરે છે!
This story is from the Abhiyaan Magazine 17/08/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 17/08/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.