TryGOLD- Free

સમયના સતત પલટાતા રંગોની લીલા પિછાનવી અને તેને માણવી

ABHIYAAN|Abhiyaan Magazine 07/12/2024
હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.
- વિદુર
સમયના સતત પલટાતા રંગોની લીલા પિછાનવી અને તેને માણવી

માનવજાતનો ઇતિહાસ સમયના સતત પલટાતા રંગોની એક મોટી પોથી છે. ભગવાન શ્રીકૃષ્ણ સમયની આ રંગલીલા બરાબર જાણે છે અને એટલે તો તેમણે ભગવદ્ગીતામાં કહ્યું છે કે, સુખ-દુ:ખ, સફળતા-નિષ્ફળતા, લાભ-હાનિ, માન કે અપમાન એ બધી ક્ષણોમાં ‘સમત્વ' ધારણ કરો. આ બધી જ ક્ષણોને માણસના સંજોગ અને મિજાજ પ્રમાણે રંગ મળે છે. માણસની આંખ જ તેમાં એ રંગ જુએ છે, પણ આ બધી સમયની રંગલીલા છે અને તેમાં દૂધ જેવો રંગ જોઈને એકદમ હરખાઈ જવા જેવું નથી. સમયનો રંગ તો બદલાયા જ કરે છે. માણસ ઇચ્છે કે હું એક જ અમુક રંગ પકડી રાખું પણ તે શક્ય જ નથી. સુખમાં પડેલા માણસને થાય છે કે આ જ સાચો રંગ છે – ધીસ ઇઝ માય ટુ કલર! આ મારો સાચો રંગ! પણ માણસનો કોઈ સાચો રંગ હોય તો તે પોતાની અંદર હોઈ શકે છે. તે બહાર જે રંગ જુએ છે તે તો સમયનો રંગ છે. તેને કોઈ પકડી રાખી શક્યું નથી. સફેદ સુખનો રંગ જ નહીં, શોક-દુ:ખનો કાળો રંગ પણ માણસ પકડી રાખી શકતો નથી, એ કોશિશ પણ કરવી નહીં જોઈએ. પલટાતા રંગોની લીલા પિછાનવી અને તેને માણવી એ જ જીવન છે. ભગવાને તો કહ્યું છે કે, હું જ કાળ છું. એટલે સમયના પલટાતા રંગોમાં એની જ લીલાનાં દર્શન કરવાં એ જ એક માર્ગ છે.

This story is from the Abhiyaan Magazine 07/12/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

સમયના સતત પલટાતા રંગોની લીલા પિછાનવી અને તેને માણવી
Gold Icon

This story is from the Abhiyaan Magazine 07/12/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025
મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ABHIYAAN

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન

ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 29/03/2025
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

ઉનાળામાં લૂ સામે કેવી રીતે રક્ષણ મેળવશો?

time-read
3 mins  |
Abhiyaan Magazine 29/03/2025
જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?
ABHIYAAN

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?

આ ફિલ્મ માટે જોન અબ્રાહમના ખાસ વખાણ કરવા પડે તેમ છે, કારણ કે તે માત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં, પણ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તેમને ખબર છે કે તેઓ એક ઍક્ટર તરીકે મર્યાદિત છે, એટલે તેઓ પ્રોડ્યુસર તરીકે જુદી અને અસરકારક ફિલ્મો બનાવે છે જે તેમની ક્રિએટિવ ભૂખને સંતોષે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025
બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો
ABHIYAAN

બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો

ફરજ બજાવવા માટે એમણે વિઝાના અરજદારોની પૂરતી જાતતપાસ કરવાની રહે છે. એમને એવી ખાતરી થાય કે અરજદાર ખરેખર બિઝનેસમેન અથવા તો ટૂરિસ્ટ છે તો જ એમને વિઝા આપી શકે છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 29/03/2025
વામ-વિશ્વ ટ્રાવેલ
ABHIYAAN

વામ-વિશ્વ ટ્રાવેલ

રોડ ટ્રિપ દરમિયાન શું ધ્યાન રાખવું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025
નીરખને ગગનમાં...
ABHIYAAN

નીરખને ગગનમાં...

ઊર્જાનો અખૂટ ભંડાર થોરિયમ

time-read
5 mins  |
Abhiyaan Magazine 29/03/2025
ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?
ABHIYAAN

ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?

નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા શીખવાની ફોર્મ્યુલાનો તામિલનાડુની સરકારે એવું કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા રાજ્યના લોકો પર હિન્દીને લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. આમ છતાં રાજકીય કારણોસર ભાષા વિવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે, ત્યારે ચીને આ સમસ્યા કેવી રીતે ઉકેલી અને વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકત્વ માટે એક સમાન સંપર્ક ભાષાની કેટલી અને કેવી આવશ્યકતા, અનિવાર્યતા હોય છે, તેની વિસ્તૃત સમજ અહીં અપાઈ છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 29/03/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

વિરોધનું રાજકારણ હિન્દીને સર્વસ્વીકૃત બનતા અટકાવી નહિ શકે

time-read
5 mins  |
Abhiyaan Magazine 29/03/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

નોકરીના બદલામાં જમીન કૌભાંડઃ લાલુપ્રસાદ સામે ઇડીનો ગાળિયો કસાયો

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025

We use cookies to provide and improve our services. By using our site, you consent to cookies. Learn more