TryGOLD- Free

સારાન્વેષ

ABHIYAAN|Abhiyaan Magazine 21/12/2024
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
- સ્પર્શે હાર્દિક
સારાન્વેષ

એક વખતની વાત છે, જ્યારે કોલંબિયાની આર્મીએ એક કંપનીના મજૂરોની નિષ્ઠુર હત્યા કરેલી. જીવિત બચનારો એકમાત્ર પુરુષ લોહિયાળ વસ્ત્રોમાં, ચેતના હણાઈ ગયેલું વિક્ષત શરીર લઈને કોઈ અજાણ્યા ઘરમાં ગયો. રસોડામાં કામ કરતી સ્ત્રીને એણે પોતાની ઓળખ આપી. સ્ત્રીએ સા૨વા૨-સરભરા કરીને કૉફી આપી. જીવ જરાક બળવાન થયો એટલે પુરુષ બોલ્યો, ‘ત્રણેક હજાર તો મર્યા હશે.' સ્ત્રીએ કહ્યું, ‘કોઈ મર્યું ન હતું.' પુરુષે બીજાં ઘરોમાં જઈને પૂછ્યું તો એવો જ જવાબ, ‘કોઈ મર્યું ન હતું!’ કત્લેઆમના કોઈ પુરાવા ન મળ્યા, એના સિવાય હત્યાકાંડની સ્મૃતિ કોઈને ન હતી. શાહેદી પૂરનાર કોઈ ન હતું. એની વાતનો વિશ્વાસ કરવામાં ન આવ્યો, એને સપનું આવ્યું હશે એમ પણ કહેવાયું. એક દુષ્ટ- કૃત્ય ઇતિહાસ અને જનમાનસમાંથી ભૂંસાઈ ગયું. હકીકત પર આધારિત આ અંશ છે ગેબ્રિએલ ગાર્શિઆ માર્કેઝની ‘વન હન્ડ્રેડ યર્સ ઑફ સોલિટ્યૂડ’ (સો વર્ષ એકલતાનાં) નવલકથાનો.

કેટલાંક કડવાં સત્ય વાસ્તવની શીશીમાં ભરીને પેશ કરાય ત્યારે સ્વીકારવા મુશ્કેલ બની જાય. મનુષ્યજાતિની ક્રૂરતાની હદ અમુક લોકો સ્વીકારવા તૈયાર પણ ન થાય એવું બને. ત્યારે કડવાં સત્યને જાદુઈ શીશીમાં ભરીને રજૂ કરવાનો ‘મૅજિક/મૅજિકલ રીઅલિઝમ' નામક કીમિયો માર્કેઝ જેવા સાહિત્યકારો અપનાવે છે. મૅજિક રીઅલિઝમ કથા કહેવાનો પ્રકાર કે શૈલી છે. જઘન્ય જનસંહારની અનેક ઘટનાઓ પશ્ચાત એનું અસ્તિત્વ જ ન હતું, એવું કશું થયું ન હતું, થઈ ના શકે અથવા એટલું ગંભીર રીતે થયું ન હતું, દોષ હત્યારાઓનો નહીં, મૃતકોનો હતો વગેરે પ્રકારના કુપ્રચાર દ્વારા સત્ય મારી નાખવાનાં કાવતરાં જેવી ઘટનાઓ વિશ્વમાં અન્યત્ર પણ બની છે. યહૂદીઓની નિર્દય હત્યાઓના ઇનકારથી લઈને કાશ્મીરી હિન્દુઓની કતલ, એમને અપાયેલી યાતનાઓની વિગતોના, એમની આપવીતીના અસ્વીકાર સુધીનાં દૃષ્ટાંતો મળશે. ચીનમાં ઉઇગુર મુસ્લિમોના પ્રતાડનની અને તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓના પ્રયોજિત મૂલોચ્છેદની બીનાઓ આપણી સામે છે જ. તો પણ ભવિષ્યમાં વિકૃત તત્ત્વો દ્વારા એવું સંગઠિત કાવતરું આકાર લઈ જ શકે, જે ત્યાં કશું જ જઘન્ય ન બન્યું હોવાનું ભારપૂર્વક કહેશે.

This story is from the Abhiyaan Magazine 21/12/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 21/12/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025
મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ABHIYAAN

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન

ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 29/03/2025
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

ઉનાળામાં લૂ સામે કેવી રીતે રક્ષણ મેળવશો?

time-read
3 mins  |
Abhiyaan Magazine 29/03/2025
જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?
ABHIYAAN

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?

આ ફિલ્મ માટે જોન અબ્રાહમના ખાસ વખાણ કરવા પડે તેમ છે, કારણ કે તે માત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં, પણ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તેમને ખબર છે કે તેઓ એક ઍક્ટર તરીકે મર્યાદિત છે, એટલે તેઓ પ્રોડ્યુસર તરીકે જુદી અને અસરકારક ફિલ્મો બનાવે છે જે તેમની ક્રિએટિવ ભૂખને સંતોષે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025
બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો
ABHIYAAN

બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો

ફરજ બજાવવા માટે એમણે વિઝાના અરજદારોની પૂરતી જાતતપાસ કરવાની રહે છે. એમને એવી ખાતરી થાય કે અરજદાર ખરેખર બિઝનેસમેન અથવા તો ટૂરિસ્ટ છે તો જ એમને વિઝા આપી શકે છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 29/03/2025
વામ-વિશ્વ ટ્રાવેલ
ABHIYAAN

વામ-વિશ્વ ટ્રાવેલ

રોડ ટ્રિપ દરમિયાન શું ધ્યાન રાખવું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025
નીરખને ગગનમાં...
ABHIYAAN

નીરખને ગગનમાં...

ઊર્જાનો અખૂટ ભંડાર થોરિયમ

time-read
5 mins  |
Abhiyaan Magazine 29/03/2025
ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?
ABHIYAAN

ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?

નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા શીખવાની ફોર્મ્યુલાનો તામિલનાડુની સરકારે એવું કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા રાજ્યના લોકો પર હિન્દીને લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. આમ છતાં રાજકીય કારણોસર ભાષા વિવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે, ત્યારે ચીને આ સમસ્યા કેવી રીતે ઉકેલી અને વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકત્વ માટે એક સમાન સંપર્ક ભાષાની કેટલી અને કેવી આવશ્યકતા, અનિવાર્યતા હોય છે, તેની વિસ્તૃત સમજ અહીં અપાઈ છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 29/03/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

વિરોધનું રાજકારણ હિન્દીને સર્વસ્વીકૃત બનતા અટકાવી નહિ શકે

time-read
5 mins  |
Abhiyaan Magazine 29/03/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

નોકરીના બદલામાં જમીન કૌભાંડઃ લાલુપ્રસાદ સામે ઇડીનો ગાળિયો કસાયો

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/03/2025

We use cookies to provide and improve our services. By using our site, you consent to cookies. Learn more