કવર સ્ટોરી-૨

ભારતમાં લગ્નોત્સવો માત્ર લગ્નોત્સવો જ ક્યાં હોય છે એ તો સમાંતરે સાડી ઉત્સવો પણ હોય છે, કારણ કે કલા-સંસ્કૃ તિમાં રસ ધરાવતાં કોઈ એસ્થેટિક પરિવારના આંગણે લગ્ન હોય તો તેમાં લગ્ન પ્રસંગે આવતી સ્ત્રીઓ ક્યારેક બનારસી તો ક્યારેક ઢાંકાઈ સિલ્ક, ક્યારેક કાંજીવરમ તો ક્યારેક પોંચમપલ્લી, ક્યારેક પ્યોર સિલ્ક પટોળું તો ક્યારેક બાંધણી, ક્યારેક ગઢવાલી તો ક્યારેક ચંદેરી પહેરીને લગ્ન પ્રસંગમાં ચાર ચાંદ લગાડે છે. આવા ચાર ચાંદ લગાડતી ભારતના વિવિધ પ્રદેશોની એકથી એક ચડિયાતી સાડીઓના પ્રકારમાં મધ્યપ્રદેશની ચંદેરી પણ તેનાં રૂપ-રંગથી મેદાન મારે છે.
૧૬૫૮-૧૭૦૭ના ઔરંગઝેબ કાળમાં સાકી મુસ્તેદ ખાન દ્વારા લખાયેલ મિસરએ-આલમગિરિ ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે ઔરંગઝેબ ‘ખિલત' નામના સેરિમોનિઅલ રોબથી કોઈ ખાસ વ્યક્તિનું સન્માન કરવાનો શોખીન હતો. તે લાંબા પહોળા રાજવી રોબમાં વળી સોના-ચાંદીના ભરતકામ ભરાતાં અને તેને વધુ ને વધુ કિંમતી બનાવી કોઈ વિશિષ્ટ વ્યક્તિનું સન્માન કરાતું. આ ખિલતની સુંદરતા, સોફ્ટનેસ અને ખાસ કરીને તેની પારદર્શકતા અજોડ અને અપ્રતિમ હતી અને તે ચંદેરી જેવું જ રેશમી, હળવું અને પારદર્શક વસ્ત્ર હતું.
એમ તો હિન્દુ વૈદિક શાસ્ત્રો ચંદેરીના કાપડને શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ શિશુપાલ સાથે જોડીને કહે છે કે શિશુપાલે આ વસ્ત્રને ઓળખ આપી હતી, પરંતુ કોઈ ઓળખપાળખનું મોહતાજ ન હોઈ શકે તેવી ગ્લોસી ટ્રાન્સપરન્સી ધરાવતાં આ વસ્ત્રનો ઇતિહાસ તો છેક સાતમી સદીને સ્પર્શીને ભારતની સાડી શોખીન સ્ત્રીઓના ગ્રેસફુલ અને ગોર્જિયસ શરીરને પણ સ્પર્શે છે.
This story is from the Abhiyaan Magazine 21/12/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 21/12/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.

વામા-વિશ્વ આરોગ્ય
ઉનાળામાં લૂ સામે કેવી રીતે રક્ષણ મેળવશો?

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?
આ ફિલ્મ માટે જોન અબ્રાહમના ખાસ વખાણ કરવા પડે તેમ છે, કારણ કે તે માત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં, પણ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તેમને ખબર છે કે તેઓ એક ઍક્ટર તરીકે મર્યાદિત છે, એટલે તેઓ પ્રોડ્યુસર તરીકે જુદી અને અસરકારક ફિલ્મો બનાવે છે જે તેમની ક્રિએટિવ ભૂખને સંતોષે.

બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો
ફરજ બજાવવા માટે એમણે વિઝાના અરજદારોની પૂરતી જાતતપાસ કરવાની રહે છે. એમને એવી ખાતરી થાય કે અરજદાર ખરેખર બિઝનેસમેન અથવા તો ટૂરિસ્ટ છે તો જ એમને વિઝા આપી શકે છે

વામ-વિશ્વ ટ્રાવેલ
રોડ ટ્રિપ દરમિયાન શું ધ્યાન રાખવું?

નીરખને ગગનમાં...
ઊર્જાનો અખૂટ ભંડાર થોરિયમ

ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?
નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા શીખવાની ફોર્મ્યુલાનો તામિલનાડુની સરકારે એવું કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા રાજ્યના લોકો પર હિન્દીને લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. આમ છતાં રાજકીય કારણોસર ભાષા વિવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે, ત્યારે ચીને આ સમસ્યા કેવી રીતે ઉકેલી અને વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકત્વ માટે એક સમાન સંપર્ક ભાષાની કેટલી અને કેવી આવશ્યકતા, અનિવાર્યતા હોય છે, તેની વિસ્તૃત સમજ અહીં અપાઈ છે.

વિશ્લેષણ
વિરોધનું રાજકારણ હિન્દીને સર્વસ્વીકૃત બનતા અટકાવી નહિ શકે

રાજકાજ
નોકરીના બદલામાં જમીન કૌભાંડઃ લાલુપ્રસાદ સામે ઇડીનો ગાળિયો કસાયો