કલા એ કલાકારની અંગત અભિવ્યક્તિ છે. કલાકારના મનોમંથનમાંથી પ્રગટ થતું નવનીત ભાવકને તૃપ્ત કરે છે, ત્યારે કલા સિદ્ધ થાય છે. એટલું જ નહીં, કલાનો પ્રભાવ ચિરંજીવી હોય છે. તેના સ્વરૂપમાં ભાવાભિવ્યક્તિ ઉપરાંત લોકકાલના પ્રવાહો પણ સચવાયેલા હોય છે. જનમાનસ પર પડેલી વ્યાપક અસરને કલાકાર જનતાના પ્રતિનિધિરૂપે વ્યક્ત કરે છે. પેઢી દર પેઢી તેનું સંવહન થાય છ. સાથે-સાથે તેમાં નવા પ્રવાહો ઉમેરાતા રહે છે. આ પ્રવાહો તેને વધુ ને વધુ ને સમૃદ્ધ કરે છે. રાજસ્થાનના શ્રીનાથદ્વારાની પ્રખ્યાત પિછવાઈ કલા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મધ્યપ્રદેશના ભીમબેટકા ખાતે મળેલા ૧૨૦૦૦ વર્ષ જૂના ભીંતચિત્રોથી શરૂ થયેલી દશ્યાત્મક કલાની આ યાત્રા આજે મૂવીઝ અને ગ્રાફિક્સ સુધી પહોંચી છે. દશ્યકલાના ઇતિહાસમાં ચિત્રકલાના સ્વરૂપનું અનોખું સ્થાન છે. સમય સાથે તેની ઉપયોગિતા, સ્થાન અને મહત્ત્વના આધારે તેના સંદર્ભો બદલાતાં રહ્યા છે. તેરમી સદીમાં રાજસ્થાની, શીખ અને કાંગડાની લઘુચિત્રોની પરંપરા પર રાજ-રજવાડાંનું વર્ચસ્વ હતું. આ ચિત્રો દ્વારા થતું દશ્યાત્મક આલેખન મોટા ભાગે સંદેશાવ્યવહાર અને દસ્તાવેજીકરણ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. તેથી તે ઐતિહાસિક મૂલ્ય પણ ધરાવે છે. સોળમી સદીમાં રાજસ્થાની અને પહાડી લઘુચિત્રો ઉપરાંત ફાડ અને પિછવાઈ જેવી ચિત્રોશૈલીઓનો જન્મ થયો. આ ચિત્રોમાં અભિવ્યક્તિની સાથે સાંસ્કૃતિક પરંપરાઓ પણ વણાયેલી છે, જે પેઢીઓ સુધી ટકી રહી છે.
મુઘલ શાસક ઔરંગઝેબથી ભગવાન કૃષ્ણની મૂર્તિને બચાવવા માટે તેને વૃંદાવનથી અન્ય સ્થળે ખસેડવામાં આવી રહી હતી. રક્ષકો સિંહાદ ગામે પહોંચ્યા ત્યારે બળદગાડાનાં પૈડાં ફસાઈ ગયાં અને તેને આગળ ખસેડી શકાયા નહીં. આ સંકેતને ભગવાનની ઇચ્છા માનીને ત્યાં જ મૂર્તિની સ્થાપના કરવાનું નક્કી થયું. આ રીતે અરવલ્લીના ડુંગરા વચ્ચે બનાસ નદીના કિનારે, રાજસમંદ જિલ્લામાં, ઉદયપુરથી ૪૮ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં, મેવાડના મહારાણા રાજસિંહના શાસિતપ્રદેશમાં શ્રીનાથજીના મંદિરનું નિર્માણ નિશ્ચિત થયું. ઈ.સ. ૧૬૭૨માં રાજસ્થાનના શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરના નિર્માણ સાથે જ ચારસો વર્ષ પહેલાં પિછવાઈ કલાની શરૂઆત થઈ હોવાના પ્રમાણો મળે છે. આ ચિત્રો એક પરંપરાગત લોકકલાનું ધાર્મિક સ્વરૂપ છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/04/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/04/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.