![કવર સ્ટોરી](https://cdn.magzter.com/1344508914/1719386700/articles/uhALJQXBD1719930432304/1719931317706.jpg)
નાલંદા વિદ્યાપીઠ કે મહાવિહારના અવશેષોથી વીસેક કિલોમીટર દૂર, રાજગીર પાસે અર્વાચીન નાલંદા યુનિવર્સિટીના કૅમ્પસનું ઉદ્ઘાટન થયું. ત્યાંથી આશરે ૧૬૦૦ કિ.મી. દૂર હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં એને સમાંતર બીજી ઘટનાએ પણ આકાર લીધો. ચીને ક્રૂરતાથી તિબેટ પચાવી પાડ્યું ત્યાર પછીથી ભારતમાં રહેતા વર્તમાન દલાઈ લામાને મળવા એક અમેરિકન પ્રતિનિધિ મંડળ આવેલું. એના થોડા દિવસ પહેલાં ચીન સાથેની લાંબી પ્રૉક્સિવૉરના ભાગરૂપે અમેરિકાએ એક ખરડો રજૂ કરીને તિબેટની સ્વતંત્રતા બાબતે પોતાનો મજબૂત મત વ્યક્ત કરેલો.
તિબેટમાં બૌદ્ધ ધર્મના પ્રસારમાં નાલંદા મહાવિહારની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ઇતિહાસકાર સુકુમાર દત્તના ભારતીય બૌદ્ધ શ્રમણો અને મઠો વિશેના પુસ્તકમાંથી જાણવા મળે છે કે, સાતમી સદીમાં àન સાંગ જ્યારે નાલંદામાં નિવાસ કરતા હતા ત્યારે તિબેટના રાજા સોન્ગન્સેન ગામ્પોએ અમુક લોકોને નાલંદા મોકલેલા. એમાંનો એક, મંત્રી થોન્મી સંભોટા ત્યાંથી ધર્મ, ભાષા, ઇત્યાદિનો અભ્યાસ કરીને પાછો ફર્યો. રાજાએ પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને એને તિબેટના રાજ્યધર્મ તરીકે સ્થાપિત કર્યો. આ થોન્મી સંભોટાએ સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાઓનાં વ્યાકરણ પરથી તિબેટની ભાષાની નવી લિપિ પણ વિકસાવી. બાદમાં તિબેટની દૃષ્ટિમાં નાલંદા એક ઉચ્ચ કોટિનો બૌદ્ધ વિહાર અને શિક્ષણનું ધામ બની ગયેલું. નાલંદાના જ વિદ્વાન શ્રમણો શાન્તરક્ષિત અને કમલશીલની સંગાથે તિબેટ ગયેલા અને પછીથી ગુરુ રિસ્પોચે નામે આદર પામેલા તાંત્રિક પદ્મસંભવે ત્યાં સૌથી પહેલો સામ્ય મઠ સ્થાપી, અવલોકિતેશ્વર સ્વરૂપે ઈશ્વરની પૂજા કરવાનું જણાવી અને ભવિષ્યની લામા પરંપરાના બીજ રોપીને બૌદ્ધ ધર્મનો પાયો મજબૂત કરેલો. વર્ષ ૧૩૫૧માં તિબેટમાં જ નાલંદા નામે એક મઠ પણ સ્થપાયેલો.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 06/07/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 06/07/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![વિઝા વિમર્શ.](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/XdJmpBN-21720104341459/1720104834142.jpg)
વિઝા વિમર્શ.
ખોટી માન્યતાઓ
![તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/LxgNkpi0-1720101035909/1720104295900.jpg)
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.
![ફેમિલી ઝોન. બ્યુટી](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/-YS57JzXf1720099918373/1720100944252.jpg)
ફેમિલી ઝોન. બ્યુટી
લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?
![‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/NYpoBBBLG1720016298494/1720016807777.jpg)
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.
![બીંજ-થિંગ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/Ro6bvaRMW1720014704284/1720016219196.jpg)
બીંજ-થિંગ
કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા
![પ્રવાસન](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/kJX16u5J-1720013704669/1720014626878.jpg)
પ્રવાસન
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
![શિક્ષણ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/f2ayOS1DG1720012440359/1720013618873.jpg)
શિક્ષણ
પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે
![સોશિયલ મીડિયા](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/GgfVmIeh61720011337251/1720012322900.jpg)
સોશિયલ મીડિયા
ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો
![સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/gYH_k0BIm1720009327667/1720010379203.jpg)
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.
![ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/qmvSZd2Id1719931366135/1719932563885.jpg)
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.