ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN|Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.
સુચિતા બોઘાણી કનર
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજી ખાદીને સ્વરાજ મેળવવાનું અમોઘ અસ્ત્ર માનતા હતા. સામાન્ય લોકો ખાદીથી પગભર થઈ શકતા હતા. ચરખો ચલાવીને પોતે દેશના કામમાં સહભાગી થઈ રહ્યા છે તેવો સંતોષ પણ મેળવી શકતા હતા. આખા દેશના મોટા ભાગના લોકો ખાદી કાંતવા સાથે, વણવા સાથે સંકળાયેલા હતા, પરંતુ આજે ખાદી જનમાનસમાંથી ભૂલાઈ ગઈ છે. ગાંધી જયંતી જેવા એકાદ દિવસે જ લોકો તેને યાદ કરે છે. જ્યારે સામાન્ય લોકો ખાદીથી દૂર થયા છે ત્યારે તેની સાથે સંકળાયેલા, કાંતવાવાળા, વણવાવાળા, રંગવાવાળા, છાપવાવાળા, ધોલાઈ કરવાવાળા કે સિલાઈ કરવાવાળા કારીગરો પણ ઘટવા લાગ્યા છે. આમ પણ ખૂબ મોંઘી ખાદી સામાન્ય લોકોની પહોંચમાં નથી. માત્ર પૈસાપાત્ર વ્યક્તિઓ શોખ ખાતર ક્યારેક તે ધારણ કરે છે. આ બધાનું મુખ્ય કારણ છે, સરકારની અવ્યવહારુ નીતિ. જો સરકારી નીતિ થોડી વ્યવહારુ બને તો ફરી વખત ગરીબો રોજીરોટી રળી આપતી ખાદી સામાન્ય લોકોના પહેરવેશમાં પોતાનું સ્થાન જમાવી શકે.

ખાદી મોંઘી બની છે, તેથી તેના વેચાણ ઉપર અસર થઈ છે. ભાવ વધવાનાં અનેક કારણો છે. સરકાર ખાદી ઉપર વળતર આપે છે, પરંતુ જે ખાદી ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બની હોય તે અને તેટલી જ ખાદી વળતર યોગ્ય ગણાય છે. આખા વર્ષ દરમિયાન જે ઉત્પાદન થયું હોય તે વળતર પાત્ર હોતું નથી. આથી બહુ ઓછી ખાદી ઉપર વળતર મળે છે. તેવી જ રીતે પહેલાં ખાદીને સરકારના વિવિધ ટૅક્સમાંથી મુક્તિ હતી, પરંતુ હવે ખાદી કામને એક ઉદ્યોગ ગણીને તેને પણ લેબર લૉ નીચે આવરી લેવામાં આવ્યું છે. તેથી કારીગરો કે અન્ય લોકો જે ખાદી સાથે સંકળાયેલા છે તેમને લેબર લૉ મુજબ જ વળતર આપવું પડે છે. જો સરકાર ખાદી સંસ્થાઓને કારીગરોને ચૂકવવાના થતી રકમમાં જ સહાય આપે તો ખાદીની કિંમતમાં ઘટાડો થઈ શકે, ભાવ ઘટવાના કારણે તેનું વેચાણ વધી શકે, તે વધુ રોજગારી ઊભી કરી શકે. અત્યારે ખાદીમાંથી થતી આવક વધી નથી, પરંતુ તે માટે ચૂકવવાની રકમમાં ધરખમ વધારો થયો છે. ખાદી માટે જરૂરી એવા કાચા માલના ભાવ બે ગણાથી વધુ થયા છે. જેની અસર પણ ખાદીની કિંમત ઉપર પડે છે.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 26/10/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 26/10/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 dak  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 dak  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 26/10/2024
રતન તાતા તાજ હોટેલમાં પણ પોતાના બિલનું પેમેન્ટ જાતે કરતા હતા
ABHIYAAN

રતન તાતા તાજ હોટેલમાં પણ પોતાના બિલનું પેમેન્ટ જાતે કરતા હતા

• લોસ એન્જેલસમાં ગ્રેજ્યુએશન પછી ત્યાં જ નોકરીમાં લાગી ગયેલા રતન તાતા ભારત આવવા ઇચ્છતા ન હતા. • દાદીમાએ મળવાની ઇચ્છા જણાવી બોલાવ્યા અને દાદીને મળવા આવેલા રતન તાતા ફરી વિદેશ ન ગયા. • જેઆરડી તાતાએ તેમને જમશેદપુર મોકલ્યા, પરંતુ ખાસ કાળજી રાખી કે તાતા હોવાને કારણે તેમને કોઈ વિશેષ સુવિધા ન મળે. જમશેદપુરમાં રતન તાતા એપ્રેન્ટિસ હોસ્ટેલમાં રહ્યા. ફેક્ટરીએ જવા માટે કારથી નહીં, સાઇકલથી જવા કહેવાયું. • રતન તાતાએ લોખંડ ઓગાળવાની ભઠ્ઠી સહિત અનેક વિભાગોમાં કામ કરી પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો. • તાતા જૂથના ચૅરમેન બન્યા પછી પણ તેમણે બે રૂમના ફલેટમાં રહેવાનું પસંદ કર્યું.

time-read
10 dak  |
Abhiyaan Magazine 26/10/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નોબેલ વિજેતા હાન કાંગઃ અસ્તિત્વની અનુભૂતિનો નકાર

time-read
5 dak  |
Abhiyaan Magazine 26/10/2024
હલો : પશ્ચિમી શિષ્ટાચારનું અથથી ઇતિ
ABHIYAAN

હલો : પશ્ચિમી શિષ્ટાચારનું અથથી ઇતિ

* હલો શબ્દ બહુ પ્રાચીન નથી, ૧૭૮૧માં તેનો પ્રયોગ થયેલો. * ૧૮૮૦માં ટેલિફોન ટૅક્નોલૉજીના ઉપયોગ સાથે ‘હેલો’ શબ્દ ઓફિશિયલ થવા માંડ્યો. * ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે Ahoy અભિવાદન સૂચવેલું, જેનો સ્વીકાર થયો ન હતો. * હલો શબ્દ ગુડ વર્ડ વિધાઉટ ડાયરેક્ટ મિનિંગ છે. *હાઉડી’ શબ્દ પણ અર્થ વગરનો લાગે, પરંતુ ‘હાઉ ડુ યુ ડુ’ તેમાં આવી જાય.

time-read
7 dak  |
Abhiyaan Magazine 26/10/2024