હું જ્યારે ઉપર યમના દરબારમાં જાઉં અને મને પૂછવામાં આવે કે તમે ધરતી પર જઈને શું કર્યું? ત્યારે હું ગર્વની સાથે કહી શકું કે મેં એક દીકરો દેશને આપ્યો. એટલું જ નહીં, એ શહીદ દીકરાની સ્મૃતિમાં અનેક ગરીબોનાં પેટ ઠાર્યાં છે. જરૂરતમંદોની મદદ કરવાનું કામ કર્યું છે. પછી ભગવાનને કહીશ કે હવે તારે મને જ્યાં જગ્યા આપવી હોય ત્યાં આપજે.. અને હા દીકરા, હું જીવું છું ત્યાં સુધી તો તું આપણે જે બે અન્નક્ષેત્ર ખોલ્યાં છે ત્યાં ભૂખ્યાને અન્ન આપવાનો દીવડો ઓલવાય નહીં એનું ધ્યાન રાખજે..
ખુમારીથી ભરેલા આ શબ્દો છે કારગિલ યુદ્ધના એક શહીદ રમેશ જોગલનાં માતાના. જામનગર જિલ્લાના મેવાસા ગામના વતની રમેશ જોગલનાં માતા જશીબહેન પોતાના મોટા દીકરા હમીરભાઈ સાથે આ વાત કરે છે ત્યારે એમના ચહેરા પર સંતોષ ઝળકે છે. ૭૨ વર્ષનાં આ આહીરાણીએ પોતાનો લવરમૂછિયો દીકરો માત્ર ૧૯ વર્ષની ઉંમરે શહીદ થયો છતાં હિંમત હારી નથી. જે સ્ત્રીએ દીકરાને શોર્ય અને વીરતાના સંસ્કાર આપ્યા એ સ્ત્રી આજે કાળજે કાળમીંઢ પથ્થર મૂકીને અનેક દુખિયારાનાં આંસુ લૂંછવા પહોંચી જાય છે. એમના જીવનનું હવે એક જ લક્ષ્ય છેઃ શહીદ દીકરાની યાદમાં જેટલાં સત્કાર્ય થાય એ કરીને પુણ્યનું ભાથું બાંધવું.
અહીં વાત કરવી છે એક એવા આહીરના ખોરડાની જેની વીરતાના દાખલા આજે આખા બરડા પંથકમાં અપાઈ રહ્યા છે. જામનગર જિલ્લાના ભાણવડથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલું બરડા પંથકનું મેવાસા ગામ વીરભૂમિ તરીકે જાણીતું છે. વીર માંગડાવાળો અને સતી પદ્માવતી જે ધરતી પર થઈ ગયાં એ ભૂમિમાં આહીરના ખોરડે જન્મ લેનારો રમેશ વિક્રમભાઈ જોગલ નામનો જુવાન ૬ જુલાઈ, ૧૯૯૯ના ગોઝારા દિને કારગિલ યુદ્ધમાં સામી છાતીએ દુશ્મનો સામે લડીને શહીદ થયો હતો. રમેશ જોગલ જેવા અનેક જવાનોની દેશદાઝ અને બહાદુરીને કારણે કારગિલમાં ઘૂસેલા પાકિસ્તાનીઓને આપણે પાછા કાઢ્યા ત્યારથી દર વર્ષે ૨૬ જુલાઈએ વિજય દિન મનાવવામાં આવે છે. એ દિવસે એવા તમામ શહીદોની સ્મૃતિ પણ તાજી થઈ આવે છે.
શહીદ રમેશ જોગલની સ્મૃતિમાં ચાલે છે બે અન્નક્ષેત્ર તો જામનગરના મેવાસા ગામમાં એના નામે એક પ્રાથમિક શાળા પણ છે.
૨૬ જુલાઈ હવે ઢૂંકડી છે ત્યારે પ્રિયદર્શિની મળે છે એવા જ એક વીર યોદ્ધાની માતાને, જેણે દેશ માટે એક પુત્રનું બલિદાન આપવા ઉપરાંત સમાજ માટે પણ ઘણું કામ કર્યું છે અને હજી કરે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 31, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 31, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.