દેશના ભાગલા પડ્યા અને મોએ સર્વ મમાં ૭૭ વર્ષ પૂર્ણ થશે. પાકિસ્તાન એટલે આમ તો ભારતના વિભાજન બાદનો એક ટુકડો, પણ એ વિભાજન પછી રાજકીય અને ભૌગોલિક રીતે સમસમીને બેસી રહેવા સિવાય ભારત પાસે ત્યારે કોઈ વિકલ્પ નહોતો. અલગ રાષ્ટ્ર તરીકે જન્મ લીધા પછી પાકિસ્તાને તરત એ જ વર્ષે અને એ પછી પણ ત્રણ વાર ભારત સાથે નાનાં-મોટાં યુદ્ધ કરી પછડાટ ખાધી, પરંતુ એમાંથી ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ કચ્છને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ખૂબ પ્રભાવિત કરી ગયાં.
કચ્છના વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીનું પુસ્તક ૧૯૬૫નું યુદ્ધ... કચ્છનો અંગભંગ કોના વાંકે? થોડા દિવસમાં પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે ૧૯૬૫નું યુદ્ધ કચ્છ માટે શા માટે મહત્ત્વનું રહ્યું એનાં પૃષ્ઠો ખૂલી રહ્યાં છે. ૧૯૬૫નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ ભારત જીતી તો ગયું, પણ કચ્છ હારી ગયું હતું, કારણ કે એ યુદ્ધમાં કચ્છનો કેટલોક હિસ્સો-જમીન ભારતે ગુમાવવાં પડ્યાં હતાં. કચ્છ માટે તો આ કારમો ઘા હતો. શરીરનો કોઈ ભાગ કપાઈ જાય તો કેવી વેદના થાય? કચ્છ આજેય એ પીડાનો . અનુભવ । કરી રહ્યું છે. કચ્છના ઈતિહાસનું એ દુઃખદ અને કરુણ પ્રકરણ હવે દસ્તાવેજીકરણનું સ્વરૂપ પામી એક પુસ્તક તરીકે બહાર આવી રહ્યું છે. એનું શ્રેય જાય છે કીર્તિભાઈ ખત્રીને...
કીર્તિભાઈ ખત્રી સાડા ત્રણ દાયકા જેટલો સમય કચ્છના મુખ્ય પ્રહરી અખબાર કચ્છમિત્ર સાથે તંત્રી તરીકે જોડાયેલા હતા, એ કાર્યકાળ દરમિયાન એમણે અગ્રલેખો દ્વારા કચ્છની ૧૯૬૫ના યુદ્ધની વેદનાને વાચા આપવા પ્રયત્ન કર્યો હતો તો હવે એપ્રિલથી જૂન, ૧૯૬૫ સુધી ચાલેલા એ યુદ્ધને છ દાયકા જેટલો સમય વીત્યો છે ત્યારે એ સમગ્ર ઘટનાક્રમને એમણે પુસ્તકનું રૂપ આપ્યું છે.
શું છે આ પુસ્તકમાં?
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?
પાચનશક્તિ મંદ બનાવતી આ સીઝનમાં શું ખાવું-પીવું અને શું ન ખાવું-પીવું એ જાણી લો...
દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...
પૈડાં બરાબર દોડતાં રાખવાં હોય તો સ્ત્રી-પુરુષે સ્વસ્થ સંબંધ રાખતાં શીખવું જોઈએ.
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.
જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...
સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.
અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...
પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધે ભારતની પ્રજાને કડવી યાદ આપી છે, પરંતુ ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છનો ભૂ-ભાગ ગયો એ વેદનાનો જખમ ક્યારે રૂઝાશે?
વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય
યુનિવર્સિટીની ઐતિહાસિક ઈમારતમાં જોવા મળશે ૬૦ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ.
મંગલ ગાઓ. ભાઈ..
સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.