યાદ છે ને, ચાર વર્ષ પહેલાં કોરોના વાઈરસ મહામારીએ ભારત સહિત યા દુનિયાભરમાં કેવી તબાહી મચાવી હતી. હવે તબીબી નિષ્ણાતો ફરી ચિંતામાં પડ્યા છે, કારણ કે આ વખતે મન્કીપોક્સ અથવા એમપોક્સ તરીકે ઓળખાતો વાઈરસ કોરોનાની જેમ માનવસમાજને ડરાવી રહ્યો છે. જનાવરોમાંથી માનવીઓમાં ફેલાતી આ ચેપી બીમારીના દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ જેટલા કેસ મળ્યા છે અને આફ્રિકા ખંડમાં ૫૩૦થી વધારે લોકોનાં મૃત્યુ પણ થઈ ચૂક્યાં છે. એકલા કોંગોમાં જ એક વર્ષમાં ૪૫૦ જેટલા લોકો મરણને શરણ થયા છે. આ બીમારી હવે આફ્રિકાથી બહાર ફેલાઈ છે.
ચિંતાની વાત એ કે આ બીમારીના સકંજામાં ૧૫ જેટલા દેશ આવી ગયા છે. ભારતમાં હજી સુધી આ વાઈરસનો એકેય કેસ નોંધાયો નથી, પણ સરકાર સતર્ક થઈ છે અને જનતાએ પણ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે પાકિસ્તાનમાં આ રોગ પ્રવેશી ચૂક્યો છે. ત્યાં આ રોગના ત્રણ દરદી નોંધાયા છે. ત્રણેય કેસ ઈન્ટરનૅશનલ ફ્લાઈટમાંથી ઊતરેલા લોકોમાં મળ્યા છે. એક કેસ સ્વીડનમાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ આફ્રિકાના દેશોમાંથી લોકોની અવરજવર ચાલુ જ રહે છે એટલે આ રોગ ભારતમાં ફેલાવાનું જોખમ તો છે જ.
૨૦૨૨માં ભારત આ રોગની ઝપટમાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ વાઈરસને જાગતિક આરોગ્ય સંક્ટ ઘોષિત પણ કરી દીધો છે. છેલ્લાં બે વર્ષમાં આ બીજી વાર WHOએ આ ઈમર્જન્સી ઘોષિત કરવી પડી છે. આફ્રિકામાં તો આ રોગના કેસ ૧૬૦ ટકા વધી ગયા છે. આ વાઈરસના મુખ્ય બે પ્રકાર છેઃ ક્લેડ-વન અને ક્લેડ-ટુ. ૨૦૨૨માં ક્લેડ-ટુ વેરિઅન્ટનો ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો. બાદમાં એનું જોર ઘટી ગયું હતું, પરંતુ હવે ક્લેડ-વનઈ વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHOને ડર છે કે આ બીમારી અન્ય દેશોમાં ફેલાઈ શકે છે. ક્લેડ-વનઈ વેરિઅન્ટ બાળકોને વધુ સંક્રમિત કરે છે.
એમપોક્સનો ફેલાવો રોકવા માટે JYNNEOS નામની એક રસી તો બનાવવામાં આવી છે, પણ ઘણા દેશોમાં એ ઉપલબ્ધ નથી. ભારતમાં પણ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ દવા ઉત્પાદક કંપનીઓને અપીલ કરી છે કે એ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મદદરૂપ થાય. આ રસીના બે ડોઝ લેવાથી એમપોક્સ સામે રક્ષણ મળે છે. વ્યક્તિએ ચાર અઠવાડિયાંના અંતરે બે ડોઝ લેવાના રહે છે. આ રોગનો ઈલાજ મોટે ભાગે લક્ષણો સામે રાહત આપવા માટે છે. એ માટે ઍન્ટિ-વાઈરલ દવા પણ મદદરૂપ થાય છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.
બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ
જ દુંદાળા દેવ માટે ઘરે જ બનાવો ગણરાયાને પસંદ આવે છે એવો પ્રસાદ.
સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના
પિતાની ઈચ્છા હતી કે એ ડૉક્ટર બને, પરંતુ એને તો સ્ત્રીઓને પગભર કરવા માટે કામ કરવું હતું. હાથની રેખા એને લગ્ન પછી દુબઈ લઈ ગઈ. પછી એ જ હાથે હજારો યુવતીઓને મેંદી મૂકી એણે પોતાનું તકદીર લખ્યું અને બીજી મહિલાઓને પણ એ કામ શીખવી કમાણી કરતાં શીખવ્યું. એમની આ મહેનતનો રંગ ક્યારેય નહીં ઊતરે.
એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ
સૌરાષ્ટ્રમાં કોડિનાર નજીક આવેલા સરખડી ગામની ઓળખ એક શિક્ષકે અપાર સંઘર્ષ અને ધૈર્યથી બદલી નાખી છે. આજે આ ગામ દેશભરમાં ‘વૉલીબૉલ વિલેજ’ તરીકે જાણીતું બન્યું છે. શિક્ષક દિન નિમિત્તે જાણીએ, એમની જહેમતની જોશભરી વાત.
અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા
ગુજરાતના છેવાડાના ગામ રામગ્રીમાં એક જૈન મુનિએ જીવદયાની સમજ આપી અને એ માટે ગામલોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી, જે એક તક્તીમાં અંકિત થઈ. રામગ્રીમાં જૈનોની વસતિ નથી, પણ ગામના તમામ જૈનેતર લોકો ૭૭ વર્ષથી એ પ્રતિજ્ઞા પાળે છે. આવો જાણીએ, એક ગામની અતૂટ શ્રદ્ધાની કથા.
પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન
વરસાદી વાદળમાંથી સરીને પૃથ્વી પર પટકાતી અગ્નિરેખા એટલે વીજળી. ચિત્ર, તસવીર કે ફોટોફ્રેમમાં અદ્ભુત રંગછટા વેરતી આ આકાશી વીજ ખરેખર તો દર વર્ષે વિશ્વના ૪૫,૦૦૦થી વધુ લોકોનો ભોગ લે છે. આપણાં કમનસીબે વીજળીથી થતી જાનહાનિમાં ભારત અગ્રસર છે.
ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર
સ્વતંત્રતા સંગ્રામમાં એકતાના પ્રતીક રૂપે ખીલેલા ગણેશોત્સવે પાછલાં વર્ષોમાં કંઈકેટલા રંગ બદલ્યા. દરેક પ્રાંતમાં એની ઉજવણીનો માહોલ જુદો એ ન્યાયે ડાયમંડ નગરી સુરતમાં આ ઉજવણીનાં રૂપ-રંગ અનોખાં છે.