વિશ્વના વિવિધ દેશોની આર્થિક સમસ્યા કંઈ પણ હોય, એમાંથી અનેક દેશના ઈન્વેસ્ટર્સ ભારતીય અર્થતંત્રને મજબૂત અને વિકાસલક્ષી માનતા હોવાથી ભારતીય કૅપિટલ માર્કેટમાં એમનું રોકાણ સતત આવી રહ્યું છે. શૅરબજાર તેમ જ આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ્સ)માં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)નો રોકાણપ્રવાહ અવિરત રહ્યો છે. અલબત્ત, એમની વેચવાલી પર અહીં માર્કેટ ઘટે યા તૂટે પણ છે, પરંતુ મોટે ભાગે એમનું રોકાણ આપણી જ માર્કેટમાં વધુ પ્રમાણમાં પાછું ફરે છે. એટલે જ આ કારણે લાંબા સમય સુધી તેજીની ગાડી પાટા પરથી ઊતરે એવું લાગતું નથી. હા, ક્યારેક બ્રેક લાગી શકે અથવા ગાડી ધીમી પડી શકે.
આ રહ્યાં કારણ અને આંકડા
એફપીઆઈ શા માટે ભારતીય માર્કેટમાં રોકાણ કરે છે એનાં કારણો ઘણાં છે. ભારતીય અર્થતંત્રની મજબૂતી તરફ આગેકૂચ, વિશ્વની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી, વિકાસલક્ષી પગલાં-સુધારા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, વિશાળ વસતિને કારણે કન્ઝમ્પશન (વપરાશ) માટે વિરાટ માર્કેટ, યુવાબળ, નવા બિઝનેસ માટે ભરપૂર તક, કરન્સીનું યોગ્ય નિયમન, ફુગાવા અને વ્યાજદરનું વાજબી સંચાલન, વગેરેનો એમાં સમાવેશ થાય છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 07, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 07, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...
સફળતાની સરગમ...
જીવનની તડકી-છાંયડી મૅચ કરીને રચી અક સમય ગામમા ગાયા ચરાવતા અન પછા આજીવિકા રળવા અમદાવાદમાં રિક્ષા ચલાવતા ‘અલબેલા’ ગાયક કૌશિક ભરવાડના એક ગીતે હમણાં સંગીતપ્રેમીઓને એ હદે ઘેલું લગાડ્યું છે કે એની પર હજારો રીલ્સ બની રહી છે. કળાકૌશલ ને કાનુડાની કૃપાથી આજે સેલિબ્રિટી બની ગયેલા આ કલાકારની ગઈ કાલ ભારોભાર સંઘર્ષથી ભરેલી છે.
વધુપડતા કામનો બોજ જીવન ટૂંકાવી નાખે ત્યારે...
વ્યક્તિનો ‘કર્મયોગ’ જીવલેણ સમસ્યા ઊભી કરી શકે છે. કમનસીબે એની માનસિક અસરથી આપણે અજાણ છીએ.
સોશિયલ મિડિયા એડિક્શનઃ તમે ભાન ભૂલી ગયા છો?
બીજાની ‘લાઈક્સ’ મેળવવાનો નશો વળગણ બની જાય એ પહેલાં ચેતો તો સારું.
આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી
જીવનજરૂરી સત્ત્વોથી ભરપૂર સીડ્સ ઘણી બીમારી સામે આપે છે રક્ષણ.
કંઈ કરવાની જરૂરત નહોતી, પણ એને તો ઝંખના હતી સ્વઓળખ મેળવવાની
એનો જન્મ જાહોજલાલી વચ્ચે થયો. ધનાઢ્ય પિતાની એકમાત્ર દીકરી તરીકે ઉછેર પણ ભારે લાડકોડભર્યો અને પછી સાધનસંપન્ન પરિવારમાં લગ્ન. સુખસાગરથી છલોછલ આ નારીને તેમ છતાં કંઈક અધૂરપ લાગતી, હજી કંઈક ખાલીપો છે એવું લાગતું. એ ખાલી જગ્યા હતી સ્વઓળખ માટેની, જેને મેળવવા માટેની જાત સાથેની જ લડાઈ અનેક મહિલાને પ્રેરણા આપે છે.
ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?
સાતપૂડા ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશમાં છ-છ ટાઈગર રિઝર્વ છે. જો કે એ બધાંમાં સાતપૂડાનું સ્થાન કંઈક ઔર છે. ખાસ્સો મોટો વિસ્તાર અને એમાં વન્યજીવોની ભરમાર. છોગામાં, સદીઓ અગાઉના રૉક પેન્ટિંગ્સ સાથેની અનેક ગુફા સાતપૂડાને અન્ય જંગલથી અલગ પાડે છે. વળી, એની નજીકમાં જ છે મધ્ય પ્રદેશનું કશ્મીર ગણાતું પંચમઢી હિલસ્ટેશન.
નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?
બાલાજી મંદિર ૧૮૫૭માં ગૌમાંસની ચરબી ચોડેલા કારતૂસની અફવા પ્રસરી ત્યારે અંગ્રેજો સામે ભારતીયોએ વિપ્લવ કર્યો હતો, હવે તિરુપતિના વેંકટેશ્વરા મંદિરના લાડુપ્રસાદમાં વપરાયેલાં ઘીમાં ગાયની ચરબી તથા અન્ય વાંધાજનક સામગ્રી મળી હોવાના લૅબ રિપોર્ટથી દુનિયાભરના હિંદુઓ ખળભળી ઊઠ્યા છે. વિશ્વમાં સૌથી ધનિક ગણાતા આ બાલાજી મંદિરનું સંચાલન રાજ્ય સરકાર નિયંત્રિત બોર્ડના હાથમાં છે. નકલી ઘીનો વર્તમાન વિવાદ મોટી આગ પકડશે તો આ દેવસ્થાનમમાં ભક્તોએ ભાવથી ચઢાવેલી રોકડ ભેટનો ઉપયોગ ઈતર ધર્મીઓના તુષ્ટીકરણ માટે થતો હોવાનો અને એના વહીવટી મંડળમાં બિનહિંદુઓના સમાવેશના મુદ્દા પણ ઊછળશે જ.
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.