ઇડી દ્વારા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અટકાયત એ કોઈ આકસ્મિક પગલું નથી. એની સંભાવના હતી જ. ગત નવેમ્બરના પ્રારંભથી તેમને સમન્સ મોકલવાની શરૂઆત થઈ હતી, જેની તેઓ ઉપેક્ષા કરતા હતા. આજે તેમની ધરપકડને ચૂંટણી સાથે જોડવામાં આવે છે, ત્યારે નવ સમન્સની ઉપેક્ષા કરીને લગભગ સાડાચાર મહિનાનો સમય પસાર કરનારનો દોષ જોવામાં આવતો નથી. રાજનીતિની તાસીર બદલવા માટે રાજનીતિમાં પ્રવેશ કરવાનો દાવો કરનાર વ્યક્તિ એવા જ શુદ્ધ ઇરાદાથી રાજનીતિમાં આવ્યા હોવા વિશે હવે અસંખ્ય લોકોને શંકા જાય છે. કેજરીવાલની રાજકીય કારકિર્દીનો આ ટર્નિંગ પોઇન્ટ છે અને આ વળાંક ક્યાં લઈ જશે એ કહેવું મુશ્કેલ છે અને નથી!
આઈઆઈટીમાં અભ્યાસ કર્યા પછી ભારતીય સનદી સેવાના ઉચ્ચ અધિકારી એવા અરવિંદ કેજરીવાલનો રાજકીય સૂર્યોદય અન્ના હજારેના આંદોલનથી થયો હતો. કેજરીવાલે ૨૦૦૨માં સનદી સેવામાંથી નિવૃત્તિ લઈને પરિવર્તન’ના નામથી એનજીઓની સ્થાપના કરીને એક્ટિવિસ્ટ તરીકે પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. ૨૦૦૬માં ‘ઇમર્જિંગ લીડરશિપ' માટે રેમન મેગ્સેસે ઍવૉર્ડ મળ્યો. તે પછી તેઓ દેશમાં વધુ જાણીતા થયા હતા. વર્ષ ૨૦૧૦માં દિલ્હીમાં થયેલા કૉમનવેલ્થ ગેમ્સમાં થયેલા કથિત ગોટાળાની ખબર મીડિયામાં આવ્યા પછી લોકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ‘ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ નામની ઝુંબેશ શરૂ થઈ અને કેજરીવાલ તેનો ચહેરો બની ગયા. અન્ના હજારેના ઉપવાસ દરમિયાન જંતર-મંતર ખાતે અન્ના હજારેના માર્ગદર્શન હેઠળ સૌથી મોટું અને વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ લોક-જુવાળનો લાભ લેવા માટે ૨૬ નવેમ્બર, ૨૦૧૨ના રોજ કેજરીવાલે વિધિવત્ ‘આમ આદમી પક્ષ'ની સ્થાપના કરી. સ્થાપના કર્યા પછી કહ્યું હતું કે તેમના પક્ષમાં કોઈ હાઇકમાન્ડ નહીં હોય અને તેઓ જનતાને સ્પર્શતા મુદ્દાઓ પર જનતાના પૈસાથી ચૂંટણી લડશે.
Esta historia es de la edición Abhiyaan Magazine 06/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 06/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.
કવર સ્ટોરી
નાલંદાના પતનનું એક પ્રકરણ
કવર સ્ટોરી
નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?
એનાલિસિસ
સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?
રાજકાજ
સ્પીકરપદની ચૂંટણીએ એક યુદ્ધરેખા અંકિત કરી દીધી
રાજકાજ
હવે નક્સલીઓ પણ નકલી નોટો છાપવા લાગ્યા છે
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.
વિઝા વિમર્શ,
અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'
ફેમિલી ઝોન ફેશન
હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?