ફાગણ અને ચૈત્રમાં ફેલાયેલા વસંતના વૈભવ પછી હવે ધીમે-ધીમે ચૈત્ર ઊતરતા ગરમીનો પારો ચઢતો જાય છે અને વૈશાખ આવતાં તો ગરમીનો પારો ચરમસીમાએ પહોંચશે.
વર્ષના આવા ભઠ્ઠી જેવા દિવસોમાં ઉત્તર પ્રદેશની ઉપર રહેલા ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશ જતાં રહી અસહ્ય ગરમીના કાળઝાળ દિવસોમાંથી થોડા દિવસોને ઠંડા કરી શકાય, પરંતુ જવું તો જવું ક્યાં અને કેવી રીતે જવું એ મોટો પ્રશ્ન હોય છે.
જો હિમાચલ પ્રદેશ પર જ પસંદગીનો કળશ ઢોળવો હોય તો ચંબા વેલીમાં સ્થિત ડેલહાઉસી જવા જેવું છે, કારણ કે તે તેનાં સ્વર્ગીય દશ્યફલકો, લીલાંછમ મેદાનો અને બ્રિટિશરો વખતના કોલોનિયલ ભૂતકાળને સાચવીને બેઠેલું હિલ સ્ટેશન છે.
પ્રકૃતિનો ખુશનુમા સ્પર્શ કરાવતું આ ટ્રેન્ડિ ડેસ્ટિનેશન ચંબા જિલ્લામાં આવેલું છે. ૧૮૪૮થી ૧૮૫૬ સુધી ભારતના ગવર્નર જનરલ રહી ચૂકેલા ‘ધ અર્લ ઑફ ડેલહાઉસી’ પરથી ડેલહાઉસી નામ ધારણ કરનાર આ નગર કુલ પાંચ ટેકરીઓ પર સ્થિત છે અને સી લેવલથી ૬, ૪૬૦ ફૂટ ઊંચું છે.
ભેજવાળી ઉપઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવતાં ડેલહાઉસીમાં ઉનાળો ઊતરતા મુશળધાર વરસાદ વરસે છે અને શિયાળામાં નેવું-નેવું દિવસ સુધી ઠરીને ઠીકરું થઈ જતું ડેલહાઉસી એપ્રિલ-મેમાં તેર ડિગ્રીથી ત્રેવીસ ડિગ્રીની વચ્ચે, ફરવા આવેલા પ્રવાસીઓને, ચિત્રમયી નજારો પીરસે છે.
શિવાલિકથી શરૂ થઈ કાંગરા અને મંડીની ઉત્તરે પહોંચતી ધૌલાધાર નામની ૨૯,૦૩૦ ફૂટ ઊંચાઈ ધરાવતી પર્વતમાળાની ઉત્તરે રહેલી ચંબા વેલીનું આ હિલ સ્ટેશન વિક્ટોરિયન સ્થાપત્ય, બ્રિટિશ રાજ વખતનાં દેવળો અને પાઇન, ઑક અને દેવદારનાં વૃક્ષોનો લીલો જલસો તો ધરાવે જ છે, પરંતુ તે સાથે જ તે રોડોડ્રેન્ડ્રોનનું મનોહર ફ્લાવરિંગ પણ ધરાવે છે, જે અહીં ઉનાળો ગાળવા આવતાં પ્રવાસીઓને ડેલહાઉસીનો રંગીન મિજાજ પણ પીરસે છે.
કઠલૌન્ગ, પોટ્રેન, તેહરા, બકરોટા અને બલુન નામની પાંચ ટેકરીઓ પર સ્થિત આ ડેલહાઉસી ચંબલ જિલ્લાનું પ્રવેશદ્વાર તો છે જ, પરંતુ તે ઉપરાંત અહીં આવતા એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીનોનું પણ ચહિતું હિલ સ્ટેશન છે, કારણ કે અહીં માત્ર હજા૨-પંદરસોમાં રાવી નદીમાં રિવર રાફ્ટિંગની મજાની સાથે-સાથે આસપાસનાં પર્વતીય દશ્યફલકોને મનભરીને જોવાની પણ એક અલગ જ મજા છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 04/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 04/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.