‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરી ડિજિટલ પ્લેટફોર્મનો શા માટે આભાર માને છે?
ABHIYAAN|Abhiyaan Magazine 22/06/2024
તૃપ્તિને પહેલી વખત સની દેઓલની સાથે ૨૦૧૭માં ‘પોસ્ટર બોય્ઝ'માં મોટા પડદે કામ કરવાની તક મળી હતી, પરંતુ તે ફિલ્મ ખાસ સફળ થઈ નહોતી. તૃપ્તિ ડિમરી ‘બુલબુલ' અને ‘લૈલા મજનૂ' જેવી ફિલ્મોમાં લીડ રોલ ભજવી ચૂકી છે.
પાર્થ દવે
‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરી ડિજિટલ પ્લેટફોર્મનો શા માટે આભાર માને છે?

એનિમલ' ફિલ્મમાં ટૂંકો રોલ હોવા છતાં ‘નેશનલ સેન્સેશન' બનેલી અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં જ મુંબઈમાં એક વૈભવી બંગલો ખરીદતાં ફરીથી ચર્ચામાં આવી છે. તૃપ્તિએ બાંદ્રામાં ૧૪ કરોડ રૂપિયાનો વૈભવી બંગલો ખરીધો છે. ત્રણ ફ્લોર ધરાવતો આ બંગલો ૨૧૯૩ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે અને તે તૃપ્તિએ મેરી ફર્નાન્ડિસ નામના વ્યક્તિ પાસેથી ખરીધો છે. બહુ જ ટૂંકા સમયમાં અને ખાસ તો ‘એનિમલ’ ફિલ્મથી જાણીતી થયેલી તૃપ્તિ ડિમરી કોણ છે? અને તેની ‘ એનિમલ’ ફિલ્મ સુધીની સફર કેવી હતી? આવો જાણીએ.

પહાડો કી લડકી

તૃપ્તિ ડિમરી ઉત્તરાખંડના ગરવાલના સુંદર પહાડોની વચ્ચે ઊછરી છે. તેનો જન્મ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ મીનાક્ષી અને દિનેશ ડિમરીના ઘરે થયો હતો. તેણે દિલ્હી પબ્લિક સ્કૂલ, ફિરોઝાબાદમાંથી અભ્યાસ કર્યો છે. શ્રી અરબિંદો કોલેજમાંથી મનોવિજ્ઞાન વિષયમાં ગ્રેજ્યુએટ થયેલી તૃપ્તિએ બાદમાં એફ્ટીઆઈઆઈ, પુણેમાંથી અભિનયની તાલીમ લીધી છે.

પહેલી ફિલ્મ

તૃપ્તિને પહેલી વખત સની દેઓલની સાથે ૨૦૧૭માં ‘પોસ્ટર બોય્ઝ' નામની ફિલ્મમાં મોટા પડદે કામ કરવાની તક મળી હતી, પરંતુ આ ફિલ્મ ખાસ સફ્ળ થઈ નહોતી. મુખ્ય અભિનેત્રી તરીકેની તૃપ્તિની પહેલી ફિલ્મ ૨૦૧૮ની ‘લૈલા-મજનૂ' હતી, જે એક રોમેન્ટિક લ્મિ હતી અને એમાં તેણે લૈલાનો રોલ કર્યો હતો. આ ફિલ્મ અને ફિલ્મનાં ગીતોથી તૃપ્તિ અને તેના સાથી કલાકાર અવિનાશ તિવારીને થોડીઘણી ખ્યાતિ મળી હતી.

ત્યાર બાદ દર્શકોનું ધ્યાન તૃપ્તિ તરફ ખેંચાયું ‘બુલબુલ’ ફિલ્મથી, જેમાં તેણે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. તેણે ભજવેલા ‘બુલબુલ’ના રોલના બધાએ ખૂબ જ વખાણ કર્યા હતા. ત્યાર પછી તેણે કરેલી ફિલ્મ 'લા'એ પણ ખાસ્સી એવી લોકચાહના અપાવી હતી. 'કલા' ફિલ્મમાં તેણે જે રીતે પોતાના રોલની લાગણીઓને પોતાના અભિનયમાં રજૂ કરી, તેના આલોચકોએ ખૂબ વખાણ કર્યા હતા. ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘એનિમલ'થી તો તૃપ્તિની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ અને આજે તે બોલિવૂડનો એક જાણીતો ચહેરો બની ગઈ છે.

Esta historia es de la edición Abhiyaan Magazine 22/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 22/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ABHIYAAN

‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ

ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા

time-read
5 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
શિક્ષણ
ABHIYAAN

શિક્ષણ

પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે

time-read
7 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો

time-read
2 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
ABHIYAAN

સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
ABHIYAAN

ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું

૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

નાલંદાના પતનનું એક પ્રકરણ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?

time-read
6 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?

time-read
5 minutos  |
Abhiyaan Magazine 06/07/2024