દુનિયાની શ્રેષ્ઠ એકસો યુનિવર્સિટીઓમાં ભારતની એક પણનો સમાવેશ થતો નથી. આઇઆઇટી અને આઇઆઇએમને બાદ કરતાં આંતરરાષ્ટ્રીય કક્ષાની અન્ય કોઈ શિક્ષણ સંસ્થાઓ ભારતમાં નથી. આઇઆઇટી અને આઇઆઇએમમાં પ્રવેશ મેળવવાનું ખૂબ મુશ્કેલ છે. ભારતના મોટા ભાગના વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરી કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ વિદેશોની યુનિવર્સિટીઓની રાહ પકડે છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ૨૦૨૪માં જાહેર કરાયેલા આંકડાઓ મુજબ વિદેશોની યુનિવર્સિટીઓમાં ભારતના પંદર લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ૨૦૨૩માં જે પ્રમાણ હતું તેમાં વીસ ટકાનો વધારો થયો છે. તે બતાવે છે કે વિદેશોમાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વરસે ઝડપભેર વધારો થઈ રહ્યો છે. આ બાબતમાં હમણાં સુધી ભારત કરતાં ચીન આગળ હતું, પરંતુ હવે આપણે ચીનને પાછળ રાખી દીધું છે અને જો કોઈ દેશમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ વિદેશોમાં ભણવા જતા હોય તો તે ભારત છે. તેની સામે વિદેશોમાંથી ભારત ભણવા આવતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે. બ્યુરો ઓફ ઇમિગ્રેશનના આંકડાઓ મુજબ ૨૦૨૩માં ભારતમાં ચાલીસ હજાર ચારસો એકત્રીસ (૪૦,૪૩૧) વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા અને તેની સામે ઑક્ટોબર, ૨૦૨૩ સુધીમાં સાત લાખ પાંસઠ હજાર (૭,૬૫,૦૦૦)ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા.
વિદેશોમાં ભણવા જવાના ઘણા ફાયદાઓ છે. ત્યાં ભણતાં ભણતાં પાર્ટટાઇમ કામ કે નોકરી કરી શકાય છે, જેથી અભ્યાસનો ખર્ચ નીકળે છે. ત્યાંની શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં શિક્ષણનું સ્તર ઘણું ઊંચું હોય છે. કેટલીક તો વર્લ્ડ કલાસ હોય છે. પશ્ચિમના દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલૅન્ડ વગેરેમાં સ્થાયી થવાની તક મળે છે. અમેરિકામાં પ્રમુખપદના રિપબ્લિકન પક્ષના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જાહેરમાં ફરિયાદ કરી હતી કે, અમેરિકામાં ભણવા આવતાં વિદેશી વિદ્યાર્થીઓ ભણીગણીને પોતાના દેશમાં જતાં રહે છે અને સ્વદેશ જઈને ધંધા-રોજગાર સ્થાપી ખૂબ સુખી બને છે. એમને લાગે છે કે આ રીતે એ વિદ્યાર્થીઓ અમેરિકાની વ્યવસ્થાનો ફાયદો ઉઠાવે છે. ટ્રમ્પની ઇચ્છા છે કે અમેરિકામાં ભણવા આવતાં વિદ્યાર્થીઓ અમેરિકામાં જ સ્થાયી થાય. ચૂંટણી પ્રવચનોમાં ટ્રમ્પ કહી રહ્યા છે કે, પોતે હવે પછી પ્રમુખ બનશે તો અમેરિકામાં ભણવા આવતાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીકાળ દરમિયાન જ ગ્રીન કાર્ડ મળી જાય એવી જોગવાઈ એ કરશે.
Esta historia es de la edición Abhiyaan Magazine 06/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 06/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ.
ખોટી માન્યતાઓ
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.
ફેમિલી ઝોન. બ્યુટી
લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.
બીંજ-થિંગ
કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા
પ્રવાસન
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
શિક્ષણ
પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે
સોશિયલ મીડિયા
ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.