હિમાચલ પ્રદેશ એટલે માત્ર ઍડવેન્ચર ઍક્ટિવિટીઝ, હોં હા. .અને હનીમૂનર્સ પેરેડાઇઝ એવું નથી. અહીં પ્રાચીન કિલ્લાઓ છે, મહેલો છે અને મંદિરો પણ છે. જેમાં કાંગરાનું જવાલામુખી મંદિર, બૈનર નદીને કાંઠે આવેલું ચામુંડા દેવી મંદિર, બિલાસપુર જિલ્લામાં આવેલું નૈનાદેવી મંદિર, ભરમોરનું મણિમહેશ અને તે ઉપરાંતનાં પણ અનેક મંદિરો ખરાં, જેમાં હાટકોટી વેલીમાં આવેલું મા હાટેશ્વરીદેવી મંદિર હિમાચલની હાટકોટી વેલીનું સત્ત્વ છે.
સફરજનના બગીચા, ઘાસનાં લીલાંછમ મેદાનો, દેવદારનાં ઘટાટોપ જંગલો અને ચાંશલ પર્વતમાળાના સાંનિધ્યે રહેલી હાટકોટી વેલીમાં પબ્બર નદીને કાંઠે આવેલા હાટકોટી ગામમાં સ્થિત આ હાટેશ્વરીદેવી મંદિર હાટકોટી મંદિર તરીકે પણ ઓળખાય છે.
વૃક્ષાચ્છાદિત હિમાલયન રેન્જનું નયનરમ્ય બૅકગ્રાઉન્ડ ધરાવતું આ મંદિર મા દુર્ગાને સમર્પિત છે. ૪,૭૩૧ ફૂટની મોડરેટ ઊંચાઈ પર સ્થિત આ મંદિર શિમલાની પૂર્વે ૧૦૫ કિલોમીટરના અંતરે આવેલું એવું મંદિર છે, જેમાં દેવી દુર્ગાના મહિષાસુરમર્દિની અવતારની અષ્ટધાતુની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવામાં આવી છે. હાટકોટી મંદિરના વિશાળ પરિસરમાં મહાદેવનું પણ પ્રાચીન મંદિર છે, જેમાં ૨હેલું શિવલિંગ ખાસ્સું પહોળું છે.
આ બે મંદિરો ઉપરાંત આ હાટકોટી ટેમ્પલ કોમ્પ્લેક્ષમાં અલગથી કીર્તન ઘર અને ધર્મશાળા પણ છે. અહીંની યજ્ઞશાળામાં યજ્ઞો અને અન્ય વિધિ-વિધાનો થતાં રહે છે. એકસાથે ૩૫૦ માણસો બેસી શકે તેવો સત્સંગ હૉલ અહીંના સ્થાનિક હિમાચલીઓથી જીવંત હોય છે. મંદિરની નીચે રહેલી છ ફૂટ ઊંચી અને ત્રણ ફૂટ પહોળી ટનલ એવું કહે છે કે, આ મંદિર મહાભારતના સમયનું પ્રાચીન મંદિર છે.
સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રહેતું આ મંદિર આઠમી-નવમી સદીનું માનવામાં આવે છે, જે ભારતના ઇતિહાસનો ગુર્જર પ્રતિહાર સમયગાળો સૂચવે છે, જે સમયગાળામાં કોતરકામવાળી મૅનલ્સ, કલાત્મક શિલ્પો અને ખુલ્લા પેવેલિયનવાળાં મંદિરો બંધાણા હતાં.
Esta historia es de la edición Abhiyaan Magazine 06/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 06/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ.
ખોટી માન્યતાઓ
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.
ફેમિલી ઝોન. બ્યુટી
લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.
બીંજ-થિંગ
કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા
પ્રવાસન
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
શિક્ષણ
પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે
સોશિયલ મીડિયા
ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.