CATEGORIES
Categories
ભારતીય હૉકીની આ પોલાદી ભીંત હવે ઈતિહાસ બની જશે! .
સ્કૂલના કોચની સલાહથી એણે બીજી રમતના બદલે હૉકી પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો નૅશનલ ટીમમાં નબળા દેખાવ પછી કોચના સૂચનથી એ ગોલકીપર બન્યો... અને એ સાથે શ્રીજેશે ગોલપોસ્ટ સામે અડીખમ દીવાલ તરીકે સ્થાન જમાવી દીધું. પાછલાં વર્ષોમાં ભારત કૉમનવેલ્થ ગેમ્સ, એશિયાડ અને ઑલિમ્પિક્સમાં જીતી શક્યું છે એમાં એનો સિંહફાળો છે.
જીએમ પાક... કુદરત સાથે આવા ચાળા રહેવા દો
વેર અને ઝેરનાં પારખાં ન હોય. વધતી વસતિ અને ખેતીની નિષ્ફળતાને કારણે દુનિયાના લાખો લોકોને આજેય બે ટંકનું ખાવાનું મળતું નથી. એ માટે વિવિધ પાકનું ઉત્પાદન વધારવું જરૂરી છે. જો કે એવા પ્રયોગ કરતાં પહેલાં એનાં ભયસ્થાન જાણી લેવાં જોઈએ.
ઉત્તમ પેરન્ટ્સ સંતાનોને પોતાની કંઠી ન પહેરાવે...
જાણે-અજાણે પિતા પોતાની અધૂરી ઈચ્છા અને અધૂરાં સપનાં એના સંતાનમાં સાકાર થતાં જોવાની કોશિશ કરે છે. એને એવું લાગે છે કે સંતાન એનું જ એક્સ્ટેન્શન છે અને પોતાની જિંદગીમાં જેની ખોટ રહી ગઈ હતી એ ભરપાઈ કરવાનું કામ બાળકોનું છે. એવા સંજોગમાં સંતાનની સિદ્ધિ પેરન્ટ્સની અતૃપ્ત મહત્ત્વાકાંક્ષા માટે સરોગેટ બની જાય છે.
બાંગ્લાદેશમાં બદલાતી હવા આપણે કેમ પારખી ન શક્યા?
એક પછી એક પડોશી દેશ આપણી દોસ્તીના પરિઘમાંથી બહાર નીકળી રહ્યા છે. એમાં પણ બાંગ્લાદેશમાં થયેલા બળવા અને સત્તાપરિવર્તનથી તો ભારત માટે મહામુશ્કેલી ઊભી થઈ શકે છે.
જસ્ટ, એક મિનિટ...
રોજિંદી વાતચીતમાં ફક્ત શબ્દને પકડવો એ મોટી ભૂલ છે. જરૂર સમજીને વાણી, વર્તન અને વ્યવહાર દાખવવાની.
ભીડના ભેદભરમ
જન્મથી લઈ મૃત્યુ સુધી બેહોશીનો પાશ છે તોડવા એને મથું કે મુક્તિનું મંચન કરું? અસલી આઝાદી જો ચાહે ભીડમાંથી મુક્ત થા ભીડનો તો મંત્ર છેઃ આ પણ કરું, તે પણ કરું. - સુરેશ પરમાર ‘સૂર’
પેસિવ ફંડનું મહત્ત્વ સમજો... જોખમ ઘટાડો!
રોકાણકારોને સમજદાર અને સતર્ક બનાવવાનું લક્ષ્ય શૅરબજારમાં ઈન્ડેક્સની વધ-ઘટ અને વૈશ્વિક અસરોની વચ્ચે રોકાણકારોનો રસ-ઉત્સાહ સતત વધ્યા કરે છે. આ સમયમાં ‘એનએસઈ એ તાજેતરમાં લીધેલા કેટલાક નવા ઈનિશિયેટિવ્સ અને ‘સેબી’ દ્વારા ચાલુ રહેલા રિફૉર્મ્સના પગલાની તેમ જ ટેક્નોલૉજીના કમાલની અસર બજાર પર કેવી પડી રહી છે એની ઝલક જોવા જેવી ખરી.
આ શ્રાવણના આરંભે હાળી સ્ટીમ મોમોસ
એકટાણા અને ઉપવાસના દિવસોમાં શરીરમાં પાણી ન ઓછું થાય એની કાળજી લેજો.
બાળકો બહુ ઝડપથી મોટાં થઈ રહ્યાં છે, જેનું શું ?
આઠ-દસ વર્ષનાં છોકરી-છોકરામાં આવી રહેલા ફેરફાર સમજો–સ્વીકારો, પણ એમને ક્ષોભમાં ન મૂકો.
તમારું ઘર બીમારીનું ઘર ન બને એ માટે...
મેઘરાજાની સાથે સાજન-માજનની જેમ આવતાં મચ્છર-માખી ને બીજા જીવજંતુને દૂર રાખજો.
ઈતિહાસનાં અધ્યાપિકાની નવતર પેશાઃ છ ગુર્જર નારીનો ઈતિહાસ છ
ઓગણીસમી સદીમાં અનેક સમસ્યા સામે સંઘર્ષ વેઠીને સ્વબળે સમાજમાં પરિવર્તન આણનારી બહુ ઓછી સન્નારીઓનાં નામ-કામ ઈતિહાસમાં આલેખાયાં છે. એમાંથી ગુજરાતની છ મહિલાની યશોગાથા નોખા પ્રકારે તાજી થઈ રહી છે.
આવકમા ભાગ પડાવતો અળખામણો વેરો
દેશની વસતિના પાંચ ટકા લોકો માંડ આ ટૅક્સ ભરે છે, પણ બજેટ વખતે સૌથી વધુ ચર્ચા અને કકળાટ ઈન્કમ ટૅક્સના નામે જ થાય છે. વર્ષો અને સદીઓથી સત્તાધીશો કોઈ ને કોઈ રૂપે પ્રજા પાસેથી એમની કમાણીનો અમુક હિસ્સો વસૂલે છે. એ સામે અમુક દેશ હજી એવા છે જ્યાં સરકારે નાગરિકોને આ પ્રકારના કરમાંથી રાહત આપી છે.
પ્રકૃતિને પજવવાની વાયડાઈ ક્યાં સુધી કરશો?
એ તમને ઊંઘતાં ઝડપી લેશે, ભાગવાનો તો સમય જ નહીં આપે, પાંચ-સાત સેકન્ડમાં ખેલ ખતમ કરી નાખશે. આ એક એવી મારકણી પ્રાકૃતિક આપદા છે, જેમાં તમે ખોટા સમયે, ખોટી જગ્યાએ હશો તો બચવાનું સંભવ નથી. આ આપદા એટલે કે ભૂસ્ખલન. ભારતના ૧૪૭ જિલ્લા એટલે દેશનો ૧૨.૬ ટકા વિસ્તાર એનાથી પ્રભાવિત છે. ૨૦૧૩ની કેદારનાથ ઘટના હોય કે હમણાં ૩૦ જુલાઈએ કેરળના વાયનાડ પર મોત બનીને ત્રાટકેલી લૅન્ડસ્લાઈડ હોય, એ દરેકે પુરવાર કર્યું છે કે પ્રકૃતિ પર અતિક્રમણ કરનારને દંડ મળે જ છે.
અડધું સૌરાષ્ટ્ર બન્યું છે એશિયાઈ સિંહોનું ઘર
હજી થોડા દાયકા અગાઉ ફક્ત ગીર પૂરતા સીમિત રહી ગયેલા સાવજ અત્યારે સૌરાષ્ટ્રના દૂર દૂરના વિસ્તારોમાં વસવા માંડ્યા છે. વસતિ સાથે વનરાજોનો વસવાટનો એરિયા પણ મોટો થવા લાગ્યો છે. ૧૦ ઓગસ્ટે ‘વિશ્વ સિંહ દિન’ની ઉજવણી નિમિત્તે આ સીમાચિહનરૂપ ઘટનાનો આનંદ માણીએ.
કથાકારના સંકલ્પથી પથરાળ જમીનમાં શોભતું વન
અમરેલીના એક ગામની ભાગોળે મહાદેવ મંદિર નજીક બિલ્વપત્રનાં વૃક્ષનું જંગલ ઊભું થયું છે. શિવભક્તિ સાથે પર્યાવરણનું રખોપું કરવાના વિચારનો આ છે સુભગ સમન્વય.
હિંદ છોડોનો નારો પહોંચતો કરવા એમણે વહોરી હતી શહાદત
આઝાદીની લડતમાં હજારો લોકોએ જાન આપ્યા. એમાંથી થોડાં નામ ઈતિહાસમાં લખાયાં, પણ ઝાઝાની તો ભાગ્યે જ નોંધ લેવાઈ અને એમનાં નામ અંગ્રેજ સરકારના ચોપડે તો ‘બાગી’ તરીકે જ ચડ્યાં. આણંદ પાસે અડાસ ગામની ધરતી આવા જ પાંચ ‘બાગી’ સ્વાતંત્ર્યસેનાનીઓનાં લોહીથી ભીંજાઈ હતી, જેની ખબર બહુ ઓછા લોકોને હશે. ૧૫ ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે અડાસના એ શહીદ સ્મારકની મુલાકાત લઈએ.
સુખનું સાયન્સ થોડા હૈ, થોડે કી જરૂરત હૈ...
આપણા દુઃખનો અનુપાત એટલો જ હોય છે જેટલું જાતને મહત્ત્વ આપીએ. જેટલું મહત્ત્વ વધુ એટલું દુઃખ વધુ. જેટલું મહત્ત્વ ઓછું, સુખની સંભાવના એટલી વધુ. આપણે જો જાતને બહુ ગંભીરતાથી લઈએ તો આપણે એવું માનતા થઈ જઈએ કે દુનિયા મારી આસપાસ ફરે છે અને સૌએ મારી ઈચ્છા, વિચાર, લાગણી, વ્યવહારનું સમ્માન કરવું જોઈએ.
ફરિયાદીએ ન્યાય મેળવવા સજા ભોગવવી પડે એ કેવું?
વર્ષોથી ચાલ્યા આવતા કેસની સંખ્યા વધી રહી છે અને ફરિયાદીઓ અદાલતમાં પોતાનો વારો આવે એ પહેલાં કોર્ટની ‘બહાર’ જ પતાવટ કરવા માંડ્યા છે ત્યારે દેશના વડા ન્યાયમૂર્તિએ જ ખોડંગાતી કાનૂનવ્યવસ્થા વિશે આવી ટિપ્પણી કરવી પડી છે.
જસ્ટ, એક મિનિટ...
વ્યક્તિની સભાનતા અને દૃષ્ટિબિંદુ પર આધારિત છે કે જિંદગી વેંઢારવાનો બોજ છે કે ખુશીનો ખજાનો.
મારે તે ગામડે એક વાર આવજો...
એક બટકું રોટલો ને છાશ, મારા ગામમાં તોય મારે મન હતાં એ ખાસ, મારા ગામમાં. રતિલાલ સોલંકી
બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?
કુદરત ભેદભાવ કરતી નથી, પણ માનવસમાજે લિંગભેદના નામે એક રેખા દોરી દીધી છે.
ગિગ મારશે નોકરીને કિક...
રીડ હોમૅન: “શિ ઈકોનોમી’ સમજશો તો ટકશો, નહીં તો...
કચકડાની માયા ને વાસ્તવિકતા...
‘ધ સિમ્પ્સન્સ’: રીલ લાઈફ્ની કૉપી કરે છે રિયલ લાઈફ?
ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!
બજેટ અને એ પછીના બે દિવસ શૅરબજાર નીચે ગયા પછી ભલે ફરી ઉછાળા મારતું થયું, બજેટની જાહેરાતો પણ લાંબે ગાળે ભલે અર્થતંત્રને વેગ આપશે એવો દાવો કરાય, અત્યારે તો બજેટની કેટલીક જોગવાઈએ નારાજગી અને નિરુત્સાહની લાગણી ઊભી કરી છે.
એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?
આ એક ગંભીર માનસિક બીમારી છે... અને એ ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.
હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...
કિશોરાવસ્થામાં આવેલી દીકરીને નબળાઈ લાગવાનાં કારણ પણ જાણી લો.
એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી
ઍસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓની વેદના જાણીને ચંડીગઢનાં આ વકીલ-અધ્યાપિકાએ પોતાના પીએચ.ડી.ના મહાનિબંધ માટે આવા કિસ્સાનો અભ્યાસ જેવો વિચિત્ર વિષય પસંદ કર્યો અને હવે એના પીડિતોના પુનર્વસન માટે કામ કરે છે.
ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ
તેરાપંથી આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ નિમિત્તે ડાયમંડ અને ટેક્સ્ટાઈલ નગરી સુરત અત્યારે ધર્મ નગરીમાં પરિવર્તિત થઈ છે.
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.
મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!
દીકરીઓ સાથે અત્યાચાર અને ગેરવર્તણૂક માટે બદનામ એવા હરિયાણાની શૂટરે ઑલિમ્પિક્સમાં મેળવ્યા બે મેડલ.