રામના જન્મને સાત હજારની આસપાસ વરસ થયાં તેમ અમુક વિદ્વાનો માને છે, આટલાં વરસો પછી રામમાં શ્રદ્ધા વધી છે. ભારતીય જનમાનસ માં રામ એવા ઓતપ્રોત થઈ ગયા છે કે રામ વગરનું જીવન હિન્દુઓને જીવન ના લાગે.
ઇતિહાસ જુઓ તો રામ માત્ર ભારતવર્ષના અને હિન્દુ ધર્મના સીમાડાઓ સુધી મર્યાદિત રહ્યા નથી. શીખ ધર્મના ગુરુ ગ્રંથ સાહેબમાં રામ એ નિરાકાર ઈશ્વરનું પર્યાયવાચી નામ છે. ગુરુ ગોવિંદ સિંહ અને નાનક દેવજી પોતાને લવ અને કુશના વંશજો માનતા હતા. ગુરુ ગ્રંથ સાહેબમાં હરિ શબ્દનો સાત હજારથી વધુ વખત અને રામ શબ્દનો ૨૫૦૦ વખત ઉલ્લેખ જોવા મળે છે. શીખ ધર્મના ચિંતકો કહે છે કે શીખ ધર્મ માનવી જેવા દેખાતા કોઈને પણ ભગવાન તરીકે સ્વીકારતો નથી. આથી રામનો એ ઉલ્લેખ નિરાકાર, નિર્ગુણ પ્રભુ તરીકે થયો છે. આ બાબતમાં અનુયાયી ઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એમ કહી શકાય કે શીખ ધર્મમાં રામ નામને વધુ ઊંચું સ્વરૂપ અને સ્થાન અપાયું છે, પણ અંતે તો હિન્દુ ધર્મના રામ નામની આ અસર છે.
કેન્દ્રમાં, મોદી સરકારમાં પાંચ વરસ પ્રધાન રહી ચૂકેલા અને અગાઉ મુંબઈના પોલીસ કમિશનર હતા તે વર્તમાન સાંસદ સત્યપાલ સિંહે રામ વિષે ઘણાં સંશોધનો અને વિવેચનો લખ્યાં છે. એમના મતે રામના સમયમાં પ્રજામાં માત્ર બે વિભાજન હતા, આર્યો અને અનાર્યો, જે અસુર કે રાક્ષસ તરીકે પણ ઓળખાતા. એ તમામ લોકોની માત્ર એક જ સંસ્કૃતિ હતી.
સત્યપાલ સિંહના મતે શ્રીરામ વિશેના જ્ઞાનનો મૂળ અને આધારભૂત સ્ત્રોત વાલ્મીકિ રામાયણ છે. વાલ્મીકિએ જે ઉમદા કાર્ય કર્યું છે તે એમને જગતના પ્રથમ કવિ તરીકેની માન્યતા બક્ષે છે. જોકે, શ્રીરામની કથા માત્ર રામાયણનાં પાનાંઓ પૂરતી સીમિત રહી નથી. વિશ્વનાં પ્રાચીન સાહિત્ય અને ઐતિહાસિક ગ્રંથો, લખાણોમાં અનેક સ્થળે શ્રીરામ વિશેના ઉલ્લેખો અને વૃત્તાંતો જોવા મળે છે.
Denne historien er fra January 27, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 27, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર