કેટલાક ઇતિહાસકારોના મતે કેટલાક અયોધ્યાની ઉંમર અથર્વવેદ જેટલી છે, કારણ કે અયોધ્યાના ઉલ્લેખો અથર્વવેદમાં પણ મળી આવે છે અને અયોધ્યામાં વહેતી સરયુના ઉલ્લેખો તો ૩૫૦૦ વર્ષો પહેલાં સંકલિત ઋગ્વેદમાં પણ પ્રાપ્ય છે.
એટલું જ નહીં, અયોધ્યા નગરીનું મૂળ સંસ્કૃત નામ એવું ‘સાકેત’ હિન્દુ મહાકાવ્યોમાં વિષ્ણુલોક તરીકે વર્ણવીત છે, જે વિષ્ણુલોકમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે; જ્યાં કોઈ ચિંતાફિકર નથી અને જેના સ્વર્ગીય સુખમાં મોક્ષ પામેલા આત્માઓ સુખેથી રહે છે.
આટલી સુખદાયી અયોધ્યા નગરી અતિપ્રાચીન હિન્દુ નગરી હોવા ઉપરાંત ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના સર્વેક્ષણના પ્રથમ ડિરેક્ટર જનરલ અને વિશ્વ વિખ્યાત બ્રિટિશ પુરાતત્ત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામની શોધખોળનું અતિ ચહીતું સ્થાન પણ હતું, જ્યાં તેઓએ મણિ પર્વત, કુબેર પર્વત અને સુગ્રીવ પર્વતને આઇડેન્ટીફાય કર્યા હતા.
હિન્દુ સાહિત્ય ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં પણ સાકેતના નામથી ઉલ્લેખિત આ નગરીમાં વળી સરયુ વહે છે, જે સરયુ શારદામાં ભળે છે અને આવા મિલનના કાંઠે અને ઘાટે આપણને માત્ર નદી જ નહીં, પરંતુ રમતા રામ પણ જડે છે, જે રામ મહર્ષિ કશ્યપના વંશજ છે; જે રામ સૂર્યવંશી છે; જે રામ દશરથનંદન છે; જે રામ મર્યાદા પુરુષોત્તમ છે અને જે રામ ભગવાન વિષ્ણુના અવતાર પણ છે.
ભગવાન વિષ્ણુના રામાવતારની આ ભૂમિની ઉત્તરે ડુમરીયાગંજ છે જે નેપાળની સરહદથી માત્ર ૩૦ કિ.મી. દૂર છે. તેની દક્ષિણે બસ્તી છે જ્યાં પ્રાચીન કાળમાં ગુરુ વશિષ્ઠનો આશ્રમ હતો. તેની પૂર્વે કુશીનગર છે જે ગૌતમ બુદ્ધના પરિનિર્વાણના શ્વાસ લઈને શ્વસે છે અને તેની પશ્ચિમે છે ફૈજાબાદ જે સરયુના દક્ષિણ કિનારે કેટલાંક ઐતિહાસિક મુસ્લિમ સ્મારકો લઈને સદીઓથી જીવે છે.
કદીથી સદીનું આવું ભૌગોલિક સ્થાન ધરાવતી અયોધ્યા નગરીને રામાયણ અને મહાભારતે પૌરાણિક નગર કહ્યું છે કે જે નગર એક કાળમાં રઘુવંશીરામ સહિત કૌશલના ઇશ્વાકુ રાજાઓની રાજધાની હતી અને જ્યાંથી ઈ.સ. પૂર્વે ચોથી શતાબ્દીની જૈન તીર્થંકરની ટેરાકોટાની પ્રતિમા પણ મળી આવી છે. એટલું જ નહીં, પાંચ જૈન તીર્થંકરોની જન્મભૂમિ ગણાતી આ નગરીમાં બુદ્ધ અને મહાવીર પણ આવ્યા હતા તેવા ઉલ્લેખો બૌદ્ધ અને જૈન ધર્મગ્રંથોમાં મળી આવે છે.
Denne historien er fra January 27, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 27, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર