માંડવીની એક છાત્રાએ કચ્છના દરિયા કિનારા ઉપરના સજીવો વિશે સંશોધન કરીને મરીન ઝૂઓલૉજીમાં પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેણે પોતાના અભ્યાસાર્થે કરેલું સંશોધન હવે પછી આ વિષય ઉપર આગળ સંશોધન કરનારાઓ માટે પાયાનું કામ કરશે. તેના સંશોધન મુજબ માછીમારી, પ્રવાસન, ઉદ્યોગો, પ્રદૂષણ જેવાં અનેક પરિબળોના કારણે દરિયા કિનારા ઉપર વસતા જીવોને ભારે અસર પહોંચી રહી છે. જ્યાં માનવીય પ્રવૃત્તિ વધુ ત્યાં દરિયાઈ સજીવોની સંખ્યા અને તેમની પ્રજાતિ ઓછી એવું સમીકરણ અત્યારે જોવા મળી રહ્યું છે.
કચ્છ જિલ્લો ૪૦૬ કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવે છે. આ દરિયા કિનારા ઉપર જીવસૃષ્ટિની વિવિધતા જોઈ શકાય છે. અહીં સૂક્ષ્મ જીવોથી માંડીને કાચબા જેવા વિશાળ જીવો પણ જોવા મળે છે. આ જૈવ વિવિધતા ને પર્યાવરણના અને માનવજાતિના રક્ષણાર્થે સાચવવાની જરૂર છે. પરંતુ છેલ્લા બે- અઢી દાયકાથી ચાલી રહેલી કચ્છની યાત્રાની આડઅસરરૂપે દરિયાકિનારા ઉપરની જીવસૃષ્ટિને ખલેલ પહોંચી રહી છે. વિકાસ તો આવશ્યક છે જ, પરંતુ તેનાથી થતું નુકસાન નિવારવું જોઈએ અને તે જો અનિવાર્ય જ હોય તો તેની અસર ઘટે તેવાં પગલાં લેવાવા જોઈએ. નુકસાનકર્તા પરિબળોનો પર્યાય વિચારી, ઓછામાં ઓછું નુકસાન કરનારા પરિબળોને અપનાવવા જોઈએ.
અત્યાર સુધી કચ્છના દરિયા કિનારા ઉપરની જીવસૃષ્ટિ વિશે અનેક અભ્યાસો તો થયા છે, પરંતુ તેમાં એકસૂત્રતા નથી. જેથી કોઈને આ વિશે સંશોધન કરવું હોય તો પાયાની માહિતીનો અભાવ તેના કાર્યમાં મોટી અડચણ પેદા કરે છે. કચ્છના માંડવીની એક વિદ્યાર્થિનીએ તાજેતરમાં જ મરીન સાયન્સ વિષયમાં દરિયાકિનારા ઉપરના ઇન્ટર ટાઇડલ ઝોન (ભરતી અને ઓટની વચ્ચે થોડા સમય સુધી ખાલી રહેતી દરિયાકિનારા ની જગ્યા)માં વસતા સજીવો વિશે સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. આ સંશોધન ભવિષ્યના સંશોધનકર્તાઓ માટે એક મજબૂત પાયાની ગરજ સારીને પ્રમાણભૂત માહિતી સ્રોત બનશે. તેણે કરેલા સંશોધન પરથી ખ્યાલ આવે છે કે, ધરતી પર વસતા સજીવો, દરિયાઈ જીવોની સાથે-સાથે દરિયાકિનારા ઉપરના સજીવો પણ માનવીય વિકાસની કિંમત ચૂકવી રહ્યા છે. જ્યાં વધુ માનવીય પ્રવૃત્તિઓ થાય છે ત્યાં સજીવોની સંખ્યા ઘટેલી અને સજીવોની પ્રજાતિ પણ ઓછી જોવા મળે છે.
Denne historien er fra February 17, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 17, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર