પ્રવાસન
ABHIYAAN|Abhiyaan Magazine 22/06/2024
દેવપ્રયાગઃ સંગમ ભાગીરથી અને અલકનંદાનો
રક્ષા ભટ્ટ
પ્રવાસન

આપણું હિન્દુસ્તાન પર્વતો, જંગલો, નદીઓ અને પ્રયાગોની પવિત્ર ભૂમિ છે. એમાં પણ નદીઓ અને તેનાં સંગમ સ્થળો તો મન-હૃદયને ટાઢક આપતાં એવાં થાનકો છે, જેને આપણે પૂજીએ છીએ અને તેના વહેતા જળમાં ડૂબકીઓ લગાવી પવિત્ર પણ થઈએ છીએ.

બિહારના હાજીપુરમાં ગંગા અને ગંડકીનો સંગમ, કર્ણાટકના ફૂડલીમાં તુંગા અને ભદ્રાનો સંગમ, છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ભદ્રકાલીમાં ગોદાવરી અને ઇન્દ્રાવતીનો સંગમ અને ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં અલકનંદાનો પિંડાર, મંદાકિની અને ભાગીરથી સાથેનો સંગમ આપણા સૌના મનગમતા પંચપ્રયાગનો સંગમ છે.

આ પંચપ્રયાગમાં વળી એકલી અલકનંદા પાંચ જુદાં-જુદાં સ્થળો પર પાંચ જુદી-જુદી નદીઓને મળે છે, જેમાં દેવપ્રયાગમાં તે ભાગીરથીને મળે છે. રુદ્રપ્રયાગમાં તે મંદાકિનીને મળે છે. કર્ણપ્રયાગમાં તે પિંડારને મળે છે. નંદપ્રયાગમાં તે નંદાકિનીને મળે છે અને વિષ્ણુપ્રયાગમાં તે ધૌલીગંગાને મળે છે અને આ બધા મિલન આપણા પંચપ્રયાગના પવિત્ર સંગમો હોવા ઉપરાંત પંચપ્રયાગ યાત્રા પણ છે, જે નદીના કિનારે અને ઘાટે બે નદીઓના સંગમના ખળખળ વહેતાં નયનરમ્ય દશ્યો સાથે આપણી અંદર સમાય છે અને આપણને શુદ્ધ અને પવિત્ર પણ કરે છે.

આ પંચપ્રયાગમાં ઋષિકેશથી ઉપર જતાં સૌ પ્રથમ આવતું દેવપ્રયાગ ઋષિકેશથી માત્ર ૭૦ કિલોમીટર દૂર રહેલા ટિહરી ગઢવાલનું ૨,૭૨૩ ફૂટ ઊંચું ગામ છે. સતોપંથ અને ભાગીરથી હિમનદીઓથી નીકળીને અલકાનંદા છેક અહીં પહોંચે છે અને ભાગીરથીને મળે છે. બીજી તરફ ગંગોત્રી ગ્લેશિયરના ચરણે રહેલા ગૌમુખથી યાત્રા કરતી-કરતી ભાગીરથી પ્રથમ ગંગોત્રી આવે છે અને ગંગોત્રીથી ભૈરવઘાટી, હરસિલ, ઉત્તરકાશી, ટિહરી થઈને દેવપ્રયાગ આવે છે ત્યારે તેનું અલકાનંદા સાથેનું મિલન ગંગામાં સ્વરૂપાય છે અને ગંગાના જન્મ સ્થાનનું આ સ્વરૂપ તેના ઘાટે બેસવા જેટલું નિર્મળ અને નયનરમ્ય પણ છે, કારણ કે બંને નદીઓના જુદાં- જુદાં જળ - રંગના આ જલસાનો ઓવર વ્યૂ અસામાન્ય ઓળખ લઈને આખાય દેવપ્રયાગમાં છવાયેલો જોવા મળે છે.

Denne historien er fra Abhiyaan Magazine 22/06/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 22/06/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
ABHIYAAN

તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ

નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 05/10/2024
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
ABHIYAAN

હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...

એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !

time-read
3 mins  |
Abhiyaan Magazine 05/10/2024
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 mins  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/09/2024