કચ્છના અગ્રણી, તેજતર્રાર પત્રકાર, લેખક તરીકે સ્વ. પ્રવીણચંદ્ર શાહનું નામ સુખ્યાત છે, તેમણે ૧૮૬૫થી ૧૯૯૭ સુધી કચ્છના પત્રકારત્વની તવારીખ સાચવી રાખી છે. તેમણે લખેલા, સંગ્રહેલા લેખોની મદદથી ‘કચ્છના પત્રકારત્વની તવારીખ' નામની તાજેતરમાં બહાર પડાયેલી પુસ્તિકા કચ્છના પત્રકારત્વના ઇતિહાસ વિશે પ્રકાશ પાડે છે.
આઝાદીના સમય સુધી કચ્છ અલગ રાજ હતું. તે ગુજરાત સાથે સાંસ્કૃતિક રીતે કે બીજી રીતે સઘન રીતે જોડાયેલું ન હતું. સૂરજબારીનો પુલ બન્યો ન હતો, ત્યાં સુધી તે ગુજરાતની મુખ્ય ભૂમિથી વિખૂટું પડેલું હતું. આના પરિણામે જ કચ્છના ઇતિહાસની નોંધ, તેના આગવા પ્રદાનની નોંધ ક્યારેય ગુજરાત સમકક્ષ રીતે લેવાઈ નથી. કચ્છના મોટા ભાગના લોકો અભણ કે ઓછા ભણેલા, પછાત, ખેતી આધારિત જીવન જીવનારા અને વારંવાર પડતા દુષ્કાળના પરિણામે સહાય માગનારા એવી એક સર્વસામાન્ય છાપ ગુજરાતના અન્ય વિસ્તારોમાં હતી અને ઓછા વત્તા પ્રમાણમાં આજે પણ છે. આ જ વાત કચ્છના પત્રકારત્વ વિશે પણ લાગુ પડતી હોય તેવું લાગે છે. ગુજરાતના, સૌરાષ્ટ્રના પત્રકારત્વના ઇતિહાસની નોંધ લેતી વખતે કચ્છના પત્રકારત્વને નજરઅંદાજ કરાયાનું એક ચિત્ર જાણકારોને જોવા મળે છે, પરંતુ કચ્છનું પત્રકારત્વ આજે દોઢ સદી પુરાણું થઈ ચૂક્યું છે. કચ્છમાં રાજાશાહી હતી. અહીં સામાન્ય લોકોને કંઈ પણ છાપવાની કે પ્રેસ શરૂ કરવાની રાજની કડક પાબંધી હતી. અમુક સમયે કચ્છ બહારથી મંગાવેલું કોઈ પણ વર્તમાનપત્ર વાંચવા ઉપર પણ પ્રતિબંધ હતો. તેથી જ રાજાશાહી જમાનામાં કચ્છના જે પત્રકારોએ અખબારો કે સામયિકો કાઢ્યા તે બધા કચ્છ બહારથી,મહદ્અંશે મુંબઈથી બહાર પડતા હતા. આ બાબતના કારણે પણ ક્યારેય કચ્છના પત્રકારત્વ વિશે અલગથી વિશેષ નોંધ લેવાઈ ન હોય તેવું બની શકે. વર્તમાનમાં એક સુંદર પહેલ થઈ છે, સ્વ. પ્રવીણચંદ્ર શાહ લિખિત, સંપાદિત અને દલપત દાણીધારિયા પ્રકાશિત ‘કચ્છના પત્રકારત્વની તવારીખ (૧૮૬૫- ૧૯૯૭) પહેલી સદીના સંઘર્ષનું વિહંગાવલોકન' નામની માહિતીસભર પુસ્તિકાથી.
Denne historien er fra Abhiyaan Magazine 10/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 10/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ,
યુએસએ વિઝા વિન્ડો (3)
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ
પ્રકૃતિ
હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ
ફેમિલી ઝોન ફેશન
ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.
પ્રવાસન
રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.
મોસમ
મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર