આપણા દેશમાં ‘અનામત’ એ એક એવો વિષય છે, જેના પર વર્ષોથી ચર્ચાઓ, ચિંતન, સંવાદો, વિવાદો થતાં રહ્યાં છે અને એ પછી પણ મત-મતાંતરો વધતા જ ગયા છે! એટલું જ નહીં, ‘અનામત આપો' અને ‘અનામત હટાવો' એમ બંને પ્રકારનાં આંદોલનોનો પણ આ દેશ સાક્ષી છે. આ આંદોલનો અહિંસક પણ હતાં અને ક્યારેક હિંસક પણ બન્યાં. મૂળ વાત સદીઓથી ભારતમાં જાતિના આધારે પીડિત, શોષિત, અને વંચિત રહી ગયેલા વર્ગના ઉત્કર્ષનો તેમાં હેતુ હતો અને આજે પણ કાગળ પર તો તે જ હેતુ છે, આમછતાં આઝાદીનાં ૭૫ વર્ષો પછી પણ ૧૦૦% હેતુ સિદ્ધ કરવામાં ભારત પાછળ રહ્યું, તેનું કારણ અનામતના નામે રમાતું રાજકારણ છે.
તાજેતરમાં અનામતની બાબતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ક્વોટામાં ક્વોટા મુદ્દે સર્વોચ્ચ અદાલતની સાત ન્યાયાધીશોની ખંડપીઠે ૬:૧ની બહુમતીથી રાજકારણ રમતાં લોકોને ન ગમે તેવો, પરંતુ સાચી જરૂરિયાતવાળા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમુદાયના હિતમાં જે શકવર્તી ચુકાદો સંભળાવ્યો છે, તેનાથી એક નવા પ્રકારનું રાજકારણ ગરમાયું છે અને હજી આગળ જતાં વધારે ગરમાશે એ પણ આપણા દેશના રાજકારણની તાસીર જોતાં કહી શકાય કે નિશ્ચિત છે. આ ચુકાદા મુજબ રાજ્યોને હવે અધિકાર હશે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કૅટેગરીમાં અતિ પછાત રહી ગયેલાની નવી સબ કૅટેગરી બનાવી તેઓને અલાયદો ક્વોટા આપી શકે છે. રાજ્યો એસસી અને એસટી વર્ગમાં સમાવિષ્ટ તમામ સમાજ માટે અનામત ક્વોટામાંથી જાતિઓના પછાતપણાના આધારે ક્વોટા નક્કી કરી શકશે. ચુકાદામાં કહેવાયા મુજબ ક્રીમીલેયરની બાબત એસસી અને એસટી વર્ગ પર પણ લાગુ થાય, તેવી બંધારણીય અનિવાર્યતા આવશ્યક છે. ચુકાદાનો સાર એ છે કે બંધારણના મૂળ ઉદ્દેશને અનુરૂપ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં જે જાતિઓ હજી આજે પણ અનામતનો લાભ મેળવી શકી નથી અને વર્ષોથી અનેક પ્રકારની પીડા વેઠી રહી છે, તેને હવે લાભ મળે. આવું જરૂરી એટલા માટે છે કે અનામતનો લાભ તે વર્ગના તમામ સમુદાયો સુધી પહોંચાડી શકાયો નથી. એ કડવી વાસ્તવિકતા છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓમાં વર્ષોથી અમુક વર્ગ જ અનામતનો લાભ લેતો રહ્યો છે, જ્યારે ઘણો મોટો વર્ગ જાતિના આધારે હજુ પણ અનામતના લાભોથી વંચિત જ રહ્યો છે.
Denne historien er fra Abhiyaan Magazine 17/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 17/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?