કચ્છ અત્યાર સુધી ભલે પાણીની, વરસાદની તંગી ધરાવતો પ્રદેશ હોય, પરંતુ તેની ભૂભૌગૌલિક રચના જ તેને જીવવૈવિધ્યની બાબતમાં અદ્વિતીય બનાવે છે. અહીં એક જમાનામાં ડાયનોસોર્સ વિહરતા હોવાના પુરાવા મળ્યા છે, તો આજે પણ રણ, ડુંગર અને દરિયામાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. વિશ્વની જેમ જ કચ્છમાં પણ સજીવોની અનેક પ્રજાતિઓ હજુ વણઓળખાયેલી છે. સદીઓથી કચ્છમાં જે-તે વનસ્પતિ કે પ્રાણી હોય પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ શકી ન હોય તેવું બન્યું છે. અમુક વખતે તે સજીવની ઓળખ મળે, તેના વિશે અભ્યાસ થાય તે પહેલાં જ તે નામશેષ થઈ જતી હોવાની ઘટના વિશ્વમાં અનેક જગ્યાએ ઘટે છે. ત્યારે કચ્છમાંથી નવી પ્રજાતિઓ ઓળખાય તે વૈશ્વિક સ્તરે પણ મહત્ત્વનું છે. ગાંધીનગરની અને લીમખેડાની સરકારી વિજ્ઞાન કૉલેજના બે અધ્યાપકોએ તાજેતરમાં જ કચ્છના સરહદી એવા લખપત તાલુકાના દુર્ગમ વિસ્તારમાંથી દુનિયામાં ક્યાંય પણ નોંધાઈ ન હોય તેવી ક્ષુપ પ્રકારની વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ લખપત તાલુકાની તદ્દન અલગ પ્રકારની ઇકો-સિસ્ટમને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગાય કે ઘેટાં બકરાં જેવા પશુઓના આહાર માટે તે ભલે ઉપયોગી ન હોય, પરંતુ મધમાખી જેવા કિટકોને અસ્તિત્વ ટકાવી રાખવામાં તે ખૂબ ઉપયોગી છે. તે જમીનનું ધોવાણ અટકાવવા માટે પણ મહત્ત્વની છે. હજુ આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ અંગે સંશોધન થયું નથી, પરંતુ જો સંશોધન થાય તો તેના નવા ઉપયોગ પણ સામે આવી શકે તેમ છે. પર્યાવરણ માટે ઉપયોગી એવી આ વનસ્પતિનું અસ્તિત્વ આજે ખતરામાં છે. તેને બચાવવા માટે પગલાં લેવા આવશ્યક છે.
This story is from the Abhiyaan Magazine 28/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 28/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.