
'૧૯૪૨માં મારાં માતા-પિતા જોડાયાં, બન્નેનાં એ બીજાં લગ્ન. બાપુજી તો કરાચીમાં જ બાળલગ્નના શિકાર થયેલા.. ને ત્યાં જ એક પુત્રી તથા પત્નીનાં મૃત્યુનો માર સહન કરીને મુંબઈ આવેલા. અહીં પંદર વર્ષ પછી મારી માતાને આગલા પતિથી થયેલાં પાંચ સંતાનો સાથે સ્વીકારેલાં. છતાં ન પ્રારબ્ધમાં બદલાવ આવ્યો, ન તો સ્થિતિમાં.
‘એ અરસામાં જ મુંબઈ ખાતે હિંદી થિયેટરના મહાન રંગકર્મી તથા ફિલ્મઅભિનેતા પૃથ્વીરાજ કપૂરે પોતાની નાટ્યમંડળી પૃથ્વી થિયેટર્સ નામે શરૂ કરી હતી. સૌને માટે પૃથ્વીના દરવાજા ખુલ્લા રહેતા. બાપુજીએ ફિલ્મનો વ્યામોહ છોડીને પૃથ્વી સાથે જોડાઈ ૧૯૪૪માં જીવનની દિશા બદલવાનો યત્ન કર્યો. એ દરમિયાન ઘરનો ક્લેશ વધતો ગયો. ને મા-બાપ સહસમજૂતીથી છૂટાં પડવા તૈયાર થઈ ગયાં, કારણ કે મુંબઈના સંઘર્ષથી કંટાળી બાપુજી હવે વતન પરત ફરવાનો નિર્ણય કરી ચૂકેલા. અંતે સ્વેચ્છાએ કોઈ કડવાશ વિના એકમેકથી છૂટાં પડ્યાં ત્યારે મારી માતાએ બાપુજીને એક અનમોલ દાન આપ્યું, પુત્રદાન.. માતાને જીવન આધાર રૂપે પાંચ સંતાનો તો હતાં જ, જ્યારે બાપુજીએ હવે કદી પણ લગ્નજીવનમાં આગળ ન વધવા નિર્ધાર કરી એકલવાયા જીવનપંથે યાત્રા આદરેલી..’
કોઈ નાટક કે વેબ-સિરીઝની સ્ટોરીસિનોપ્સિસ વાંચતા હોઈએ એવું લાગે. હજી થોડું આગળ વાંચીએ..
‘પહેલું જ નાટક. બિલકુલ નવોદિતો, બિન-અનુભવી, ગ્રામીણ ભાષી, લગભગ નિરક્ષર કે અલ્પશિક્ષિત કલાકારોને સથવારે માત્ર દસ દિવસમાં તૈયાર કરવાની જવાબદારી બાપુજીએ સ્વીકારી. બાપુજીએ પોતાની જ નવી નાટ્યસંસ્થાનું બૅનર આપવાનો નિર્ણય લીધો. એનું નામઃ કલા નિકેતન.’
ઓહ, હવે સમજાયું. આ તો ભરત યાજ્ઞિકની વાત છે ને? હા. તમે સાચા છો. તમને થશે કે આમ ટુકડા ટુકડા કેમ, આ ટુકડા જોડીને તો આખી ફિલ્મ કે નાટક બની શકે એમ છે. એય કોઈ બનાવશે, પરંતુ અત્યારે તો આવી રસપ્રદ વાતોનું પુસ્તક થયું છે.
આ તો કેટલાક અંશ છે રાજકોટમાં વસેલા નાટ્યકાર ભરત યાજ્ઞિકના નાટ્યસંસ્મરણના. થોડા સમય પહેલાં એનું વિમોચન થયું. રેડિયોમાં એમણે ૪૩ વર્ષ કામ કર્યું એની દિલચસ્પ દાસ્તાં શ્રોતા દેવો ભવના ત્રણ ભાગમાં આલેખી હતી. હવે આ નવું પુસ્તક પ્રકાશિત થયું, જેનું નામ છે દર્શક દેવો ભવ. આ પુસ્તકમાં ભરતભાઈનાં રંગભૂમિનાંનાટ્યકર્મનાં સંસ્મરણો શબ્દસ્થ થયાં છે.
This story is from the May 22, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 22, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.