ચિકિત્સા ઉપર હોય છે, તમારી કઈ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ વિકૃત થઈ છે કે નહીં, તે જાણવાની એક વિશિષ્ટ કળા વિદ્વાન વૈદ્યરાજો પાસે હોય છે. દમ, શ્વાસ, રોગ એક એવી અવસ્થા છે કે, જેમાં રોગીને શ્વાસ લેવા મૂકવામાં કષ્ટ પડે છે. શ્વાસનળીમાં સોજો થવાથી તે અંદરથી સાંકડી થતાં શ્વાસ લેતાં, કાઢતાં અંદર સીટીઓ વાગતી હોય એવો અવાજ આવે છે.. શ્વાસનળીઓથી થતો દમ, હૃદયની વિકૃતિથી થતો દમ અને કિડનીની વિકૃ તિથી થતો દમ. અહીં શ્વાસનળીઓને લીધે થતા દમ વિશે નિરૂપણ કરીશું.
દમ શ્વાસના મોટા ભાગના દર્દીઓને ઋતુના પ્રભાવથી દમના હુમલા આવતા હોય છે. કેટલાક દર્દીઓને વસંતઋતુમાં તીવ્ર હુમલા આવે છે, તો કેટલાકને વર્ષાઋતુમાં ભેજનું પ્રમાણ વધવાથી હુમલા આવે છે અને કેટલાક છે દર્દીઓને દિવાળી પછી તકલીફ વધતી હોય છે. એટલે આ વખતે દમના દર્દીને ઉપયોગી થાય એવું ટૂંકું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રમાણે ઋતુ અનુસાર અને દોષથી વિરુદ્ધ પ્રકારના આહાર-વિહાર તે આરોગ્યનો, ચિકિત્સાનો અને વૈદકશાસ્ત્રનો પાયો છે. આજે પણ ઘણા વૈદ્યરાજો એવા છે, જે માત્ર તમારી નાડી જોઈને તમને શું રોગ છે તે કહી આપે. રસવૈદ્યો તો સ્પર્શ કર્યા વગર માત્ર મુખદર્શન કરીને રોગનિદર્શન કરી શકે છે. તમારો વાન શ્યામ છે, વાળ વાંકડિયા છે, તમે નિર્ણય જલદી નથી લઈ શકતા તો તમારો વાયુ વિકૃ ત થયેલો છે. તમારો વાન ઊજળો છે, વાળ જલદી સફેદ થઈ જાય છે, શરીરનો બાંધો હલકો છે, ગુસ્સો ઝડપથી આવી જાય છે, કોઈ પણ કાર્યમાં સમયસર પહોંચો છો, નિર્ણયશક્તિ પાવરફુલ છે. તમારા ટેબલ પર એક પણ ફાઇલ પેન્ડિંગ નથી રહેતી, તો તમારી પિત્ત પ્રકૃતિ છે એમ કહી શકાય. તમે આરામથી નિર્ણય લો છો, સમયથી હંમેશાં મોડા પહોંચો છો, ઘર ઑફિસ અસ્તવ્યસ્ત હોય, શરીર થોડું ભારે હોય, જ્યાં બેસો ત્યાંથી તમને ઉઠાડવા મુશ્કેલ હોય તો તમારી કફ પ્રકૃતિ છે એમ કહી શકાય. કફ પ્રકૃતિ ઉત્તમ છે, પ્રકૃતિમાં કફ પ્રકૃતિ ઉત્તમ ગણાય છે, પરંતુ પ્રાકૃતિક કફ હોવો તે સારું છે, કેમ કે કફ શરીરને બાંધે છે, કફ પ્રકૃતિવાળો બળવાન હોય છે, સામાન્ય રીતે રાજાઓ કફ પ્રકૃતિવાળા હોય છે, પરંતુ તે વિકૃત થાય ત્યારે દોષો ઉત્પન્ન કરે છે, જેનાથી રોગો થાય છે. કફની વિકૃતિનો મુખ્ય રોગ શરદી, કફ, સળેખમ, અસ્થમા, શ્વાસકાસ વગેરે ગણાય છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 28/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 28/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.