એનું નામઃ આદિત્યસિંહ રાજપૂત. વયઃ ૩૩ વર્ષ. વીસેક દિવસ પહેલાંની બપોરે અભિનેતા આદિત્ય ઘરનોકર-કમ-રસોઈયાને કંઈ જમવાનું બનાવવા કહે છે. બે-ચાર કોળિયા માંડ ભરે છે ત્યાં ઍસિડિટી, ઊલટી જેવું જણાતાં એ બાથરૂમમાં જાય છે ને ત્યાં ફસડાઈ પડે છે. નોકર એને તરત હૉસ્પિટલમાં લઈ જાય છે, જ્યાં એને મૃત જાહેર કરવામાં આવે છે. આના બેએક દિવસ બાદ જ મૂળ મુંબઈનાં, ૨૯ વર્ષી મિત્તલ ગડા ગોવાથી મુંબઈ આવવા ટૅક્સીમાં લગેજ ગોઠવી રહ્યાં હોય છે ત્યાં ચક્કર આવતાં ફસડાઈ પડે છે. ત્યાં ને ત્યાં એમના પ્રાણ જાય છે. મૃત્યુનું કારણ? હાર્ટ અટેક.
છેલ્લાં થોડાં વર્ષમાં બડે દિલવાળા ગણાતા હિંદુસ્તાનીઓનાં દિલ કમજોર પડતાં જાય છે ને અનેક કિસ્સામાં બંધ પડી જાય છે. ઈન્દર કુમાર (વયઃ ૪૩)થી લઈને ગાયક કેકે (૫૩) અને મંદિરા બેદીના હસબન્ડ રાજ કૌશલ (૫૦)થી લઈને કપૂર ખાનદાનના ભૂતપૂર્વ ઍક્ટર-ડિરેક્ટર રાજીવ કપૂર (૫૭), સિદ્ધાર્થ શુક્લા, કન્નડ સુપરસ્ટાર પુનિત કુમાર (૪૫), કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ, હજી બે મહિના પહેલાં જ અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિક તો, ૨ જૂને ૩૯ વર્ષના જાણીતા કન્નડ ઍક્ટર નીતિન ગોપીને મળસકે હૃદય પર પ્રચંડ હુમલો આવતાં બેંગલુરુના એના ઘરેથી નજીકની હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો, પણ ડૉક્ટરો એને બચાવી ન શક્યા.
હવે જરા આ આંકડા જુઓઃ ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં રોજના આશરે ૨૬ જીવનદીપ હાર્ટ અટેકથી બુઝાયા, જ્યારે કૅન્સરથી પચ્ચીસ. આમાંય ચિંતાજનક વાત એ છે કે વધુ ને વધુ યુવાનો હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. શહેરીકરણની કિંમત આપણે આ રીતે ચૂકવી રહ્યા છીએ. ચાલવાનું સાવ ઓછું થઈ ગયું છે, લોકો ઘરની બહાર નીકળે તો છે, પણ એસી કારમાં, બહારની ખાણી-પીણીનો અતિરેક થઈ રહ્યો છે. એ પણ રેસ્ટોરાંમાં જવાને બદલે ઘેરબેઠાં મગાવી લેવામાં આવે છે. ઈન ફૅક્ટ, મોટા ભાગની જીવનજરૂરિયાત આજે ઈન્ટરનેટ પૂરી કરી દે છે એટલે લોકો ચાલવાના ચોર થઈ ગયા છે.
મુંબઈના સિનિયર કન્સલ્ટન્ટ હાર્ટ સર્જ્યન ડૉ. પવન કુમાર ચિત્રલેખાને કહે છે: ‘છેલ્લાં આઠ-દસ વર્ષથી હું જેટલી બાયપાસ સર્જરી કરું છું એમાં પિસ્તાલીસથી નીચેની વયના દરદી વધતા જાય છે. એક સમય હતો, જ્યારે સાઠ પછી હાર્ટ અટેક આવતા. ત્યાર બાદ પચાસ પછી અને હવે ચાલીસી વટાવનારાઓમાં હાર્ટની સમસ્યા કૉમન થઈ ગઈ છે. ટૂંકમાં, એજ પ્રોફાઈલ ધરમૂળથી બદલાઈ રહ્યા છે.’
この記事は Chitralekha Gujarati の June 19, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の June 19, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.