વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી ભારતના તમામ રાજકીય નેતાઓ કરતાં તદ્દન જુદા પ્રકારની છે અને તેની સાથે કોઈની પણ સરખામણી થઈ શકે તેમ નથી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવી રહ્યાં છે. તમામ રાજકીય પક્ષો, રાજકીય વિશ્લેષકો અને રાજકીય પંડિતો પરિણામને પગલે નવી સરકાર શું કરશે તેના વિશે ચર્ચા અને અનુમાન કરવામાં વ્યસ્ત છે, ત્યારે મોદીની કાર્યશૈલીથી પરિચિત લોકોને એક વાતની તો ખાતરી છે કે મોદી આ પરિણામો પછી તરત જ ૨૦૨૯ની ચૂંટણી માટે કામ શરૂ કરી દેશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો વખતે પણ મોદીએ દિલ્હીમાં ભાજપના વડામથકે પક્ષના કાર્યકરોને સંબોધન કરતા આ પ્રકારની જ વાત કહી હતી અને કહ્યું હતું કે, ૨૦૨૪ની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવાનું છે. અન્ય તમામ રાજકીય પક્ષો અને નેતાઓ પરિણામોનાં કારણો અને તારણોમાં વ્યસ્ત હશે અને દિવસો સુધી પરિણામો વિશે આકલન કર્યા કરશે ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ આગામી પાંચ વર્ષ માટે અને આગામી ચૂંટણીના વિજય માટે શું કરવાનું છે તેનો એજન્ડા નિશ્ચિત કરવામાં લાગી ગયા હશે. આવું કામ કોઈ પણ નેતા કરી શકે નહીં. જેમની પાસે ભવિષ્યનું રાજકીય વિઝન અને ભવિષ્યની સંભવિત ઘટનાઓ વિશેનું આકલન હોય છે તેઓ જ આવું કરી શકે. સાથોસાથ જેમનામાં ભવિષ્યની ઘટનાઓને પોતાની રીતે વળાંક આપવાની ક્ષમતા જેમનામાં હોય એ લોકો જ આવું કામ કરી શકે. તેને માટે એક અનોખી પ્રતિભાની જરૂર હોય છે, જે આજના કોઈ રાજકીય નેતાઓમાં જોઈ શકાતી નથી. આ વખતે નરેન્દ્ર મોદીએ ૨૦૨૯ની ચૂંટણી માટેની તૈયારીઓ વહેલી શરૂ કરી દીધી છે. એટલા માટે કે ૨૦૨૪ની ચૂંટણીનાં પરિણામો વિશે તેઓ પહેલેથી જ ચોક્કસ અને આશ્વસ્ત રહ્યા છે. તેમને ખબર છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં વિજય નિશ્ચિત છે અને એટલે હવે જે વિચારવાનું છે એ આગળનાં પાંચ વર્ષનું વિચારવાનું છે અને એટલે ૨૦૨૪ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એ પહેલાં તેમણે ૨૦૨૯ વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું.
This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.
વિઝા વિમર્શ,
અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'
ફેમિલી ઝોન ફેશન
હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?
ફેમિલી ઝોન હેલ્થ હેતલ ભટ્ટ
સ્વસ્થ રહેવા માટે જરૂરી છે માઇક્રોન્યુટ્રિઅન્ટતી યોગ્ય માત્રા
પરમતત્ત્વ અને પોતાની જાત વચ્ચેનો સેતુ એટલે ‘યોગ’
આજે કોઈ ‘યોગ’ એવો ઉચ્ચાર કરે એટલે આપણા મનમાં આસનો, શારીરિક કસરત અને અંગમર્દન કરતી એક મનુષ્ય આકૃતિ આવે, પણ આ ક્રિયાઓ યોગનો tip of the iceberg કરતાં પણ નાનકડો ભાગ છે.
બિંજ-થિંગ
સી-વીડ ફાર્મિંગ : ખારાં પાણીની હરિયાળી ઊપજ
વાયરલ પેજ
સ્ક્રીનની કેદમાંથી મુક્તિ મળશે?
પ્રવાસન
અલચી, લદ્દાખનું બૌદ્ધ તીર્થ સમાન અનોખું ધામ
ચર્નિંગ ઘાટ
ભારતીય મોનાલિસા?