હીરાચંદ દંડ: બિઝનેસ વધારવા કે વધુ કમાણી માટે નહીં, જાતને અપડેટ કરવા ભણું છું.
મિઝોરમમાં વસતા લાલરિંગથારાની વય છે ૭૮ વર્ષ. થોડા સમય પહેલાં ઈશાન ભારતના આ દાદાજી દેશભરના સમાચારની હેડલાઈન્સ બન્યા. કારણ? લાલરિંગથારાએ નવમા ધોરણમાં ઍડ્મિશન લીધું. પોતાના ગામથી ત્રણ કિલોમીટર દૂર મિઝોરમ-મ્યાનમારની સરહદ પર આવેલી સ્કૂલે એ ચાલીને જાય છે અને એટલું જ અંતર કાપી પરત ઘરે આવે છે.
બચપનમાં પિતા ગુમાવી દેનારા લાલરિંગથારાએ માતાને ખેતરમાં મદદ કરવા ભણતર છોડવું પડ્યું હતું. દારુણ ગરીબી અને સંઘર્ષ વચ્ચે અનુકૂળ સંજોગ સર્જાય ત્યારે એ ભણવા જતા, પણ બ્રેક બહુ આવ્યા. ગયા વર્ષે આઠમું ધોરણ પાસ કરી એ નૅશનલ પ્રાઈમરી એજ્યુકેશન મિશન હેઠળ ચાલતી શાળામાં ઍડ્મિશન લેવા ગયા ત્યારે સ્કલે ન માત્ર એમને ઍડમિશન આપ્યું, બલકે યુનિફૉર્મ અને પાઠ્યપુસ્તકો પણ આપ્યાં. લાલરિંગથારા કહે છેઃ ‘મારે અંગ્રેજી શીખવું છે, ઈંગ્લિશમાં અરજી લખવી છે અને ટીવી પર ઈંગ્લિશ સમાચાર જોવા છે.’
મિઝોરમથી હવે આવીએ મુંબઈ. એમનું નામઃ હીરાચંદ દંડ. વયઃ ૭૧ વર્ષ. આ વર્ષના આરંભમાં હીરાચંદભાઈએ લંડન બિઝનેસ સ્કૂલના સોલાન ફેલોઝ પ્રોગ્રામમાં ઍડ્મિશન લીધું, જે કંપની વહીવટ અને નેતૃત્વ (મૅનેજમેન્ટ ઍન્ડ લીડરશિપ) વિશે ભણાવતો એક વર્ષનો પ્રોગ્રામ છે. દુનિયાની આ પહેલવહેલી મિડ કરિયર અને સિનિયર માસ્ટર્સ ડિગ્રી છે. જગવિખ્યાત આટોમોબાઈલ કંપની જનરલ મોટર્સના સીઈઓ આલ્ફ્રેડ પી. સોલાનની સ્મૃતિમાં આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો.
ઉંમરના ૭૧મા વર્ષે આવો એક વિશિષ્ટ કોર્સ કરવા પાછળનો આશય જણાવતાં હીરાચંદભાઈ કહે છેઃ ‘છેલ્લાં ચારેક વર્ષથી એક વિચાર મનમાં ઘુમરાયા કરતો કે હવે જાતને રિ-સ્કેલ કરવી છે. રિ-લર્નિંગ થાય, નવા આઈડિયા મળે. ટોચની કંપનીના વડાનાં લેક્ચર્સ સાંભળીએ તો એમના મગજમાં શું ચાલે એ જાણવા મળે.’
એ ઉમેરે છે કે હું સીએ, એલએલબી થયો ત્યારથી આજ સુધી મેં ક્યારેય નોકરી કરી નથી એટલે મોટાં ઑર્ગેનાઈઝેશનમાં, કંપનીમાં કામકાજ કેવી રીતે ચાલે છે એ વિશે મને કંઈ ખબર નહોતી. એ મને અહીં સમજવા મળે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.